પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 15-18 વયજૂથના 2 કરોડ બાળકોના રસીકરણની પ્રશંસા કરી

Posted On: 08 JAN 2022 7:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને રસીકરણની ગતિ જાળવી રાખવા વિનંતી કરી છે અને દરેકને કોવિડ યોગ્ય પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું:

"ઉત્તમ! શાબાશ મારા યુવાન મિત્રો.

ચાલો આ ગતિ ચાલુ રાખીએ.

દરેકને કોવિડ-19 સંબંધિત તમામ પ્રોટોકોલને અનુસરવા અને રસી અપાવવાની વિનંતી, જો તમે પહેલાથી જ રસીકરણ ન કરાવ્યું હોય."

SD/GP/JD



(Release ID: 1788619) Visitor Counter : 217