પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 15-18 વર્ષની વયના યુવાનોને રસીકરણ બદલ અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 03 JAN 2022 10:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્ર મોદીએ આજે રસીકરણ મેળવનાર 15-18 વર્ષની વયના યુવા ભારતીયોને અભિનંદન પાઠવ્યા છે. આ વય વર્ગને આજે રસી મળવાની શરૂઆત થઈ. પ્રધાનમંત્રીએ તેમના માતા-પિતાને પણ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

"આજે અમે અમારા યુવાનોને કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું આગળ વધાર્યું છે. 15-18 વર્ષની વયના મારા તમામ યુવા મિત્રોને અભિનંદન કે જેમણે રસીકરણ કરાવ્યું છે. તેમના માતાપિતાને પણ અભિનંદન. હું વધુ યુવાનોને રસી લેવા વિનંતી કરીશ. આગામી દિવસોમાં રસી આપવામાં આવશે!"

 

પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડૉ મનસુખ માંડવિયાના ટ્વિટને પણ રીટ્વીટ કર્યું.

SD/GP/NP

(रिलीज़ आईडी: 1787327) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Bengali , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Tamil , Telugu , Kannada , Malayalam