પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મુંબઈના મલાડ વેસ્ટમાં બાંધકામ ધરાશાયી થવાને કારણે થયેલ જાનહાનિ અંગે શોક કર્યો


પીડિતો માટે સહાયની જાહેરાત કરી

Posted On: 10 JUN 2021 2:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના મલાડ વેસ્ટમાં બાંધકામ ધરાશાયી થવાને કારણે થયેલા જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: મુંબઈના મલાડ વેસ્ટમાં બાંધકામ ધરાશાયી થવાને કારણે જાનહાનીથી દુઃખ થયું. દુઃખની ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય: પ્રધાનમંત્રી@નરેન્દ્રમોદી

પ્રધાનમંત્રીએ આ દુર્ઘટનામાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને પીએમએનઆરએફમાંથી રૂપિયા 2 લાખની સહાય અને ઘાયલોને રૂપિયા 50,000ની સહાયની જાહેરાત કરી છે.

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725926) Visitor Counter : 203