પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ સ્વપ્નદ્રષ્ટા નેત્ર ચિકિત્સક અને શંકરા નેત્રાલયના સ્થાપક ડૉ. એસ.એસ. બદ્રીનાથના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો

Posted On: 21 NOV 2023 1:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દૂરંદેશી નેત્ર ચિકિત્સક અને શંકરા નેત્રાલયના સ્થાપક ડૉ. એસ.એસ. બદ્રીનાથના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

દ્રષ્ટા, નેત્રરોગના નિષ્ણાત અને શંકરા નેત્રાલયના સ્થાપક ડૉ. એસ.એસ. બદ્રીનાથ જીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું. આંખની સંભાળમાં તેમનું યોગદાન અને સમાજ માટે તેમની અવિરત સેવાએ અમીટ છાપ છોડી છે. તેમનું કાર્ય પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

CB/GP/JD



(Release ID: 1978466) Visitor Counter : 87