પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 50મા વિજય દિવસ પર મુક્તિજોદ્ધાઓ, બિરાંગનાઓ અને ભારતીય સશસ્ત્ર દળો દ્વારા બહાદુરી અને બલિદાનને યાદ કર્યું

Posted On: 16 DEC 2021 9:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 50મા વિજય દિવસ પર ભારતીય સશસ્ત્ર દળોના પર મુક્તિજોદ્ધાઓ, બિરાંગનાઓ અને બહાદુરોની મહાન બહાદુરી અને બલિદાનને યાદ કર્યું છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું છે કે આ અવસર પર ઢાકામાં રાષ્ટ્રપતિજીની હાજરી દરેક ભારતીય માટે વિશેષ મહત્વ ધરાવે છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "50મા વિજય દિવસ પર, હું ભારતીય સશસ્ત્ર દળોના મુક્તિજોદ્ધાઓ, બિરાંગનાઓ અને બહાદુરોની મહાન બહાદુરી અને બલિદાનને યાદ કરું છું. સાથે મળીને, આપણે જુલમી દળો સામે લડ્યા અને હરાવ્યા. ઢાકામાં રાષ્ટ્રપતિજીની હાજરી દરેક ભારતીય માટે વિશેષ મહત્વ ધરાવે છે."

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1782089) Visitor Counter : 210