પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ યુનિટાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

Posted On: 24 MAR 2021 10:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએન ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ એન્ડ રિસર્ચ (યુનિટાર) પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. યુનિટારે બિનસંક્રમક રોગોથી અકાળ મૃત્યુદર ઘટાડવામાં ભારતની નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરી છે.

 એક ટવીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું, "ભારત બિનસંક્રમક રોગોને અટકાવવા અને વધુ તંદુરસ્તી વધારવા માટેના પ્રયત્નોમાં મોખરે છે. યુનિટારના માયાળુ શબ્દો માટે આભારી છું. આપણે બધાએ સાથે મળીને આપણા ગ્રહને સ્વસ્થ બનાવવાનો રહેશે."

SD/GP/JD



(Release ID: 1707165) Visitor Counter : 226