પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ PSLV-C51/એમેઝોનિયા-1 મિશનના પ્રથમ સમર્પિત વાણિજ્યિક લોંચની સફળતા પર એનએસઆઇએલ અને ઇસરોને અભિનંદન આપ્યાં

Posted On: 28 FEB 2021 1:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસઆઇએલ અને ઇસરોને પ્રથમ સમર્પિત વાણિજ્યિક મિશન PSLV-C51/એમેઝોનિયા-1 ઉપગ્રહને અંતરિક્ષમાં સફળતાપૂર્વક તરતો મૂકવા બદલ અભિનંદન આપ્યા હતા. 
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “PSLV-C51/Amazonia-1 મિશનના પ્રથમ સમર્પિત વાણિજ્યિક લોંચની સફળતા પર એનએસઆઇએલ અને @isroને અભિનંદન. આ મિશને દેશમાં અંતરિક્ષ ક્ષેત્રમાં સુધારાઓના નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપગ્રહની સાથે ચાર નાનાં ઉપગ્રહો સહિત કુલ 18 ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યાં છે, જે આપણી યુવા પેઢીની ગતિશીલતા અને નવીનતા દર્શાવે છે.”
પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને પણ PSLV-C51 દ્વારા બ્રાઝિલના એમેઝોનિયા-1 ઉપગ્રહને સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતો મૂકવા પર અભિનંદન આપ્યા હતા. 
પ્રધાનમંત્રીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે, “PSLV-C51 દ્વારા બ્રાઝિલના એમેઝોનિયા-1 ઉપગ્રહને સફળતાપૂર્વક તરતો મૂકવા પર રાષ્ટ્રપતિ @jairbolsonaroને અભિનંદન. આ અંતરિક્ષ ક્ષેત્રમાં આપણા સાથસહકારમાં ઐતિહાસિક ક્ષણ છે અને બ્રાઝિલના વૈજ્ઞાનિકોને મારી શુભકામનાઓ.”

 

SD/GP/JD



(Release ID: 1701521) Visitor Counter : 228