પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જબર અલ-સબાહને અભિનંદન આપ્યા

Posted On: 09 OCT 2020 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીરના સ્વરૂપે કાર્યભાર સંભાળવા બદલ મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જબર અલ-સબાહને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રીએ મહામહિમ શેખ મિશાલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહને પણ ક્રાઉન પ્રિન્સ તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

"કુવૈતના અમીર તરીકે કાર્યભાર સંભાળવા બદલ મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જબર અલ-સબાહને અભિનંદન અને શુભકામનાઓ. હું મહામહિમ શેખ મિશાલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહને પણ ક્રાઉન પ્રિન્સ તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે કુવૈત તેમના નેતૃત્વ હેઠળ મહત્વપૂર્ણ વૈશ્વિક ભૂમિકા ભજવતું રહેશે અને ભારત-કુવૈતની ઐતિહાસિક મિત્રતાને વધુ મજબૂત બનાવવામાં આવશે."

 

SD/GP/BT



(Release ID: 1665755) Visitor Counter : 113