પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સાન માર્ટિન સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 06 JUL 2025 12:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપિતા જનરલ જોસ ડી સાન માર્ટિનને શ્રદ્ધાંજલિ આપીને આર્જેન્ટિનાની તેમની સત્તાવાર મુલાકાતની શરૂઆત કરી છે.

પ્રધાનમંત્રીએ પ્લાઝા સાન માર્ટિનની મુલાકાત લીધી અને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે જનરલ જોસ ડી સાન માર્ટિનને શ્રદ્ધાંજલિ આપી અને આર્જેન્ટિના અને અન્ય ઘણા દક્ષિણ અમેરિકન દેશોના મુક્તિદાતા તરીકે તેમના કાયમી વારસાને માન્યતા આપી હતી. ભારત તેમના યોગદાન અને તેમણે રજૂ કરેલા મૂલ્યોને મહત્વ આપે છે. નવી દિલ્હીમાં એક શેરીનું નામ આર્જેન્ટિનાના નાયકના નામ પરથી રાખવામાં આવ્યું છે જે આપણને તેમના વારસાની યાદ અપાવે છે. તે બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધોનું એક મહાન પ્રતીક છે.

 

AP/IJ/GP/JT


(રીલીઝ આઈડી: 2142627) મુલાકાતી સંખ્યા : 39