પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ગુજરાતના ગીરમાં સફારી પર ગયા
પ્રધાનમંત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો સુનિશ્ચિત કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી
Posted On:
03 MAR 2025 12:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગીરમાં સફારી પર ગયા હતા, જે ભવ્ય એશિયાઈ સિંહોના ઘર તરીકે જાણીતું છે. તેમણે છેલ્લા ઘણા વર્ષોમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો સુનિશ્ચિત કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી.
X પર અલગ અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:
“આજે સવારે #WorldWildlifeDay પર હું ગીરમાં સફારી પર ગયો, જે આપણે બધા જાણીએ છીએ તેમ, ભવ્ય એશિયાઈ સિંહનું ઘર છે. ગીરમાં આવવાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે અમે સામૂહિક રીતે કરેલા કાર્યની ઘણી યાદો પણ તાજી થાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં, સામૂહિક પ્રયાસોએ ખાતરી કરી છે કે એશિયાઈ સિંહોની વસ્તી સતત વધી રહી છે. એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે.”
“ગીરમાંથી કેટલીક વધુ ઝલક અહીં છે. હું તમને બધાને ભવિષ્યમાં ગીરની મુલાકાત લેવા માટે આગ્રહ કરું છું.”
“ગીરમાં સિંહો અને સિંહણ! આજે સવારે થોડી ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2107673)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam