પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી સાથે વાત કરી


બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

તેમણે પ્રધાનમંત્રી મિત્સોતાકિસની ભારત યાત્રા પછી દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ, શિપિંગ અને કનેક્ટિવિટીમાં પ્રગતિની સમીક્ષા કરી

તેમણે IMEEC સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું

प्रविष्टि तिथि: 02 NOV 2024 8:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોતકિસ સાથે ટેલીફોન પર વાતચીત થઈ.

પ્રધાનમંત્રી મિત્સોતાકિસે ભારતમાં સામાન્ય ચૂંટણી પછી પ્રધાનમંત્રી મોદીને ફરીથી ચૂંટવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા.

બંને નેતાઓએ હાલમાં જ ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન દ્વારા દ્વિપક્ષીય સંબંધોમાં સર્જાયેલી ગતિની પ્રશંસા કરી અને ભારત-ગ્રીસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

તેઓએ આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી મિત્સોતાકિસની ભારત મુલાકાત બાદ વેપાર, સંરક્ષણ, શિપિંગ અને કનેક્ટિવિટી સહિત દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી.

બંને નેતાઓએ IMEEC અને પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2070270) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam