પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

જાપાનના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા

प्रविष्टि तिथि: 19 AUG 2024 9:53PM by PIB Ahmedabad

જાપાનના વિદેશ મંત્રી શ્રીમતી કામિકાવા યોકો અને સંરક્ષણ મંત્રી શ્રી કિહારા મિનોરુ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શ્રી મોદીએ ત્રીજી ભારત-જાપાન 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરીય બેઠક પહેલા બંનેને ભારતમાં આવકાર્યા. પ્રધાનમંત્રીએ બેઠક દરમિયાન ભારત-જાપાન સંરક્ષણ અને સુરક્ષા સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

“ત્રીજી ભારત-જાપાન 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની બેઠક પહેલા જાપાનના વિદેશ મંત્રી @Kamikawa_Yoko અને સંરક્ષણ મંત્રી @kihara_minoruને મળીને આનંદ થયો. ભારત-જાપાન સંરક્ષણ અને સુરક્ષા સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. ઈન્ડો-પેસિફિક અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારત-જાપાન ભાગીદારીની ભૂમિકાને પુનઃપુષ્ટિ કરી.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2047464) आगंतुक पटल : 138
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam