પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

'કુમ્હાર' સમુદાયની મહિલા ઉદ્યોગસાહસિક વિશ્વકર્મા યોજના અને બાજરી વિશે જાગૃતિ ફેલાવે છે


તમારી સામૂહિક માતૃશક્તિ તમને નવી ઊંચાઈઓ પર લઈ જશેઃ પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 27 DEC 2023 2:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.

એસવીએનિધિ યોજનાના લાભાર્થી કોટા રાજસ્થાનની સપના પ્રજાપતિએ પણ રોગચાળા દરમિયાન માસ્ક બનાવીને ફાળો આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ડિજિટલ વ્યવહારો મારફતે તેમનો મોટાભાગનો વ્યવસાય હાથ ધરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. સ્થાનિક સાંસદ શ્રી ઓમ બિરલાએ પણ તેમને જાગૃતિ ફેલાવવા અને વિસ્તારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે સપનાના જૂથની મહિલાઓ બાજરીને પ્રોત્સાહન આપી રહી છે અને કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ 'કુમ્હાર' સમુદાયના ઉદ્યોગસાહસિકને વિશ્વકર્મા યોજના વિશે માહિતગાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, "તમારી સામૂહિક માતૃશક્તિ તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને હું આપ સૌ દીદીઓને કહું છું કે, તેઓ લોકોને તેઓ જે ફાયદાઓ મેળવી શકે છે તે વિશે જણાવીને મોદી કી ગેરંટી કી ગાડીને મોટી સફળતા અપાવે."

CB/GP

 


(रिलीज़ आईडी: 1990742) आगंतुक पटल : 284
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Marathi , Manipuri , Bengali , Punjabi , Urdu , English , हिन्दी , Assamese , Bengali-TR , Tamil , Telugu , Kannada , Malayalam