પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાણીતા શિક્ષણવિદ્ બાબા ઈકબાલ સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 29 JAN 2022 8:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા શિક્ષણવિદ્ બાબા ઈકબાલ સિંહજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બાબા ઈકબાલ સિંહજીના નિધનથી દુઃખી છું. યુવાનોમાં શિક્ષણ વધારવાના તેમના પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે. તેમણે સામાજિક સશક્તીકરણને આગળ વધારવા માટે અથાક કામ કર્યું. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. વાહેગુરુ તેમના આત્માને આશીર્વાદ આપે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1793551) Visitor Counter : 146