પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજ્યસભામાં મહામારી અંગેની ચર્ચા વખતે શ્રી હરદીપ પુરીનું વક્તવ્ય અને આરોગ્ય મંત્રીનો ઉત્તર શેર કર્યા

Posted On: 20 JUL 2021 9:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં મહામારી અંગેની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરીએ આપેલા વક્તવ્યને શેર કર્યુ હતું. પ્રધાનમંત્રીએ “વૈશ્વિક મહામારીને સંબંધિત વિસ્તૃત શ્રૃંખલાના વિષયોની રજૂઆત” વક્તવ્યને ટ્વીટ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા અપાયેલા વિસ્તૃત વક્તવ્યને પણ ટ્વીટ કર્યુ હતું. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ કે વક્તવ્ય ‘એક વ્યવહારિક અને સંવેદનશીલ રીતે કોવિડ-19ને સંબંધિત અનેક પાસાઓને સામેલ કરે છે. હું આપ સૌને તેમની ટિપ્પણી સાંભળવા અનુરોધ કરીશ.’

SD/GP/JD

 



(Release ID: 1737395) Visitor Counter : 191