પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રામક્રિષ્ના મઠના સ્વામી શિવમાયાનંદજી મહારાજના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

Posted On: 12 JUN 2021 2:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામક્રિષ્ના મઠના સ્વામી શિવમાયાનંદજી મહારાજના નિંધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “રામક્રિષ્ના મઠના સ્વામી શિવમાયાનંદજી સામાજિક સશક્તીકરણ પર લક્ષ આપતા અનેકવિધ સામુદાયિક સેવાના કદમોમાં સક્રિય રીતે સામેલ રહેતા હતા. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મના ક્ષેત્રમાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છું. ઓમ શાંતિ.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1726555) Visitor Counter : 165