સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 84,332 કેસ નોંધાયા; 70 દિવસમાં સૌથી ઓછો આંકડો
ભારતમાં સક્રિય કેસોનું ભારણ વધુ ઘટીને 63 દિવસ પછી 11 લાખ કરતાં ઓછું થયું
સતત 30 દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો વધારે
સાજા થવાનો દર વધીને 95.07% નોંધાયો
દૈનિક પોઝિટીવિટી દર 4.39%, સળંગ 19 દિવસથી પોઝિટીવિટી દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે
Posted On:
12 JUN 2021 11:36AM by PIB Ahmedabad
ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે 84,332 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે સતત 5 દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોનો આંકડો 1 લાખથી નીચે નોંધાયો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સતત અને સહયોગપૂર્ણ પ્રયાસોના પરિણામે સ્થિતિમાં આ સુધારો જોવા મળ્યો છે.
ભારતમાં સક્રિય કેસોના ભારતમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેસમાં સક્રિય કેસોનું ભારણ આજે 10,80,690 નોંધાયું છે. સક્રિય કેસોનું ભારણ સતત બાર દિવસથી 20 લાખની નીચે જળવાઇ રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 40,981 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે ફક્ત3.68% રહી છે.
વધુને વધુ દર્દીઓ કોવિડના ચેપમાંથી સાજા થઇ રહ્યાં હોવાથી સળંગ 30 દિવસથી ભારતમાં દૈનિક ધોરણે સાજા થનારા દર્દીઓની સંખ્યા દૈનિક ધોરણે નવા નોંધાતા દર્દીઓ કરતાં વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 1,21,311 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 36,979 વધારે છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,79,11,384 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 1,21,311 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 95.07% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.
દેશમાં પરીક્ષણોની ક્ષમતામાં એકધારો વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં, છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,20,477 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હોવાથી ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 37.62 કરોડથી વધારે (37,62,32,162) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 4.94% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 4.39% નોંધાયો છે. સળંગ 19 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.
દેશભરમાં ચાલી રહેલી રસીકરણ કવાયત અંતર્ગત આજે દેશમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો લગભગ 25 કરોડ સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 34,33,763 ડોઝ આપવામાં આવ્યા હતા.
આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 34,64,228 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 24,96,00,304 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં સામેલ છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,00,35,262
|
બીજો ડોઝ
|
69,47,565
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,66,36,247
|
બીજો ડોઝ
|
88,12,574
|
18 થી 44 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
3,81,21,531
|
બીજો ડોઝ
|
5,61,503
|
45 થી 60 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
7,47,06,979
|
બીજો ડોઝ
|
1,18,31,770
|
60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
6,21,90,130
|
બીજો ડોઝ
|
1,97,56,743
|
કુલ
|
24,96,00,304
|
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1726482)
Visitor Counter : 220
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam