પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-સબાહને કુવૈતના પ્રધાનમંત્રી પદે ફરીથી નિમણૂક થવા બદલ અભિનંદન આપ્યા

Posted On: 08 DEC 2020 10:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-સબાહને કુવૈતના પ્રધાનમંત્રી પદે ફરીથી નિમણૂક થવા બદલ અભિનંદન આપ્યા છે.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે 5 ડિસેમ્બરે સફળ રાષ્ટ્રીય વિધાનસભાની ચૂંટણી બાદ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-સબાહને કુવૈતના પ્રધાનમંત્રી પદે ફરીથી નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

મને વિશ્વાસ છે કે કુવૈત રાજ્યના અમીર મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જબીર અલ-સબાહના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ આપણા ઉત્તમ દ્વિપક્ષીય સંબંધો વિસ્તૃત અને વિકસિત થશે."

 

SD/GP/BT



(Release ID: 1679283) Visitor Counter : 90