વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) આદેશ, 2020ના અમલીકરણની તારીખ લંબાવવામાં આવી

प्रविष्टि तिथि: 16 SEP 2020 10:48AM by PIB Ahmedabad

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગે (ડીપીઆઇઆઇટી) આજે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) આદેશ, 2020ના અમલીકરણની તારીખ 1 સપ્ટેમ્બર, 2020થી વધારીને 1 જાન્યુઆરી, 2021 કરી દીધી છે.

કોવિડ-19 રોગચાળાને કારણે ઉભી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય ઘરેલું ઉત્પાદકોને સ્થાપિત ધોરણોના અનુપાલન માટેની જરૂરી વ્યવસ્થા કરવા માટે ચાર મહિનાના વધારાના સમયની મંજૂરી આપી છે.

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(रिलीज़ आईडी: 1654946) आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam