સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સાજા થયેલા કેસની વધુ સંખ્યાના પરિણામે ભારતમાં સાજા થવાનો દર 75% થયો


સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા વધીને 16 લાખની નજીક પહોંચી

ભારતમાં વૈશ્વિક સ્તરે સૌથી નીચા, મૃત્યુદરમાં વધુ ઘટાડો થયો

Posted On: 23 AUG 2020 2:50PM by PIB Ahmedabad

ભારતમાં સાજા થયેલા દર્દીઓની સતત વધી રહેલ સંખ્યાએ, કોવિડ-19માંથી સાજા થવાના દરને અસર કરતા તે 75%  નજીક પહોંચ્યો.

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 57,989 દર્દીઓ સાજા થતા, આજે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 22,80,566 થઇ ગઈ છે.

ભારતમાં સાજા થયેલા કેસની સંખ્યા સક્રિય કેસ (7,07,668) કરતા વધીને 16 લાખ (1,572,898)ની નજીક પહોંચી ગઈ છે.

ગ્રાફમાં દર્શાવ્યા મુજબ, સરેરાશ દૈનિક સાજા થયેલા કેસની સંખ્યાએ સતત વધારા સાથે 15,018 (1થી 7 જુલાઈ,2020) થી વધીને 19થી 23 ઓગસ્ટ,2020 ના અઠવાડિયા દરમિયાન 60,557 થઈ છે.

સતત સાજા થયેલા દર્દીઓની સંખ્યાએ સુનિશ્ચિત કર્યું છે કે, દેશમાં વાસ્તવિક કેસનું ભારણ કે જે સક્રિય કેસ છે, એમાં ઘટાડો થયો છે અને વર્તમાનમાં તે કુલ પોઝિટીવ કેસના 23.24% છે. આથી મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે, જે આજે ઘટીને 1.86% થયો છે. ભારતનો મૃત્યુ દર (સીએફઆર) વૈશ્વિક સ્તરે સૌથી નીચો છે. કેન્દ્ર સરકારની સઘન પરીક્ષણ, વ્યાપક ટ્રેકિંગ અને અસરકાર સરવારની વ્યાપક અને અસરકારક નીતિના પરિણામે આ શક્ય બન્યું છે.

વધુ સંખ્યામાં સાજા થયેલા કેસની સંખ્યા અને કોવિડ દર્દીઓના મૃત્યુદરમાં સતત ઘટાડાએ ભારતની ક્રમાંકિત અને સક્રિય વ્યૂહરચનાના પરિમાણોને સુનિશ્ચિત કર્યા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT

 



(Release ID: 1648082) Visitor Counter : 144