પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે સંબોધન કરશે

Posted On: 14 JUL 2020 9:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે એક વીડીયો સંબોધન કરશે. આ દિવસ સ્કીલ ઈન્ડિયા મિશનના પ્રારંભની 5મી વર્ષગાંઠની ઉજવણીનું પ્રતિક છે. આ પ્રસંગને નિમિત્તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રાલય દ્વારા ડિજિટલ કોનક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.

પૃષ્ઠભૂમિ

કૌશલ ભારત, ભારત સરકારની એક પહેલ છે જે દેશના યુવાનોને કૌશલ્ય સમૂહોથી સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે, જે તેમને તેમના કાર્યકારી વાતાવરણમાં રોજગાર માટે યોગ્ય અને વધુ ઉત્પાદક બનાવે છે. સ્કીલ ઇન્ડિયા અનેક ક્ષેત્રોમાં અભ્યાસક્રમો પ્રદાન કરે છે જે રાષ્ટ્રીય કુશળતા લાયકાત ફ્રેમવર્ક હેઠળ ઉદ્યોગ અને સરકાર બંને દ્વારા સ્વીકૃત ધોરણોને અનુરૂપ છે. આ અભ્યાસક્રમો વ્યક્તિને કાર્યની વ્યવહારિક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને તેની તકનીકી કુશળતા વધારવામાં મદદ કરે છે જેથી તે તેની નોકરી માટેના પ્રથમ દિવસ માટે તૈયાર થાય અને કંપનીઓએ તેને તેની જોબ પ્રોફાઇલ માટે તાલીમ આપવામાં રોકાણ કરવું ન પડે.

 

DS/GP/BT



(Release ID: 1638682) Visitor Counter : 183