પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી વેદ મારવાહના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 06 JUN 2020 11:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પૂર્વ પોલીસ આયુક્ત અને મણિપુર, મિજોરમ, તેમજ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ શ્રી વેદ મારવાહના નિધન પર શોક વ્યક્ત કર્યો.

 

પ્રધાનમંત્રીએ કહ્યું " શ્રી વેદ મારવાહજીએ એમના સાર્વજનિક જીવનમાં આપેલા સમૃદ્ધ યોગદાન બદલ યાદ રાખવામાં આવશે.એક આઈ.પી.એસ. અધિકારી તરીકે  અદમ્ય સાહસ એમના જીવનમાં વણાયેલું રહ્યું. તેઓ એક બુદ્ધિજીવી પણ હતા. એમના નિધનથી દુઃખ થયું છે. એમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

 

 

GP/DS

 



(Release ID: 1629886) Visitor Counter : 251