પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર ડો આંગ સાન સુ કી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

Posted On: 30 APR 2020 3:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 એપ્રિલ 2020ના રોજ મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર ડો આંગ સાન સુ કી સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.,

બંને મહાનુભવોએ અત્યારે ઉભી થયેલી કોવિડ 19ની સ્થાનિક અને પ્રાદેશિક સંદર્ભમાં પરિસ્થિતિની ચર્ચા કરી હતી અને મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે બંનેએ પોતાના દેશોમાં લેવાયેલા પગલાં અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા.

ભારતના પડોશી પ્રથમ નીતિમાં મ્યાનમારને મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ગણાવતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કોવિડ 19ના કારણે મ્યાનમાર પર આરોગ્ય અને આર્થિક સંકટની અસર ઘટાડવા માટે શક્ય હોય એટલો સહકાર આપવા માટે ભારત તૈયાર હોવાનું જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, અત્યારે ભારતમાં રહેલા મ્યાનમારના લોકોને ભારત સરકાર શક્ય એવો તમામ સહકાર આપશે અને મ્યાનમારમાં વસતા ભારતીયોને મ્યાનમારના સત્તાધીશો દ્વારા આપવામાં આવતા સહકાર બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

કોવિડ 19ના કારણે વર્તમાન સમયમાં અને ભવિષ્યમાં ઉભા થતા પડકારોનોની સ્થિતિમાં એકબીજાના સંપર્કમાં રહેવા અને સાથે મળીને તેનો સામનો કરવા માટે બંને નેતાઓ સંમત થયા હતા.

 

 

GP/DS



(Release ID: 1619584) Visitor Counter : 204