મંત્રીમંડળ સચિવાલય

વીડિયો કોન્ફરન્સ માધ્યમથી કેબિનેટ સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો/ડીજીપી સાથે બેઠક યોજી

Posted On: 01 APR 2020 3:14PM by PIB Ahmedabad

કેબિનેટ સચિવે આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવો/ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજી હતી.

  • તમામ રાજ્યોને તબલઘી જમાતમાં ભાગ લેનારાઓના સક્રિય સંપર્ક તપાસની ગંભીરતા અંગે અવગત કરાવવામાં આવ્યા હતા કારણ કે તેના લીધે કોવિડ-19ની અટકાયતના પ્રયાસોમાં મોટા જોખમનો વધારો થયો છે. રાજ્યોને યુદ્ધના ધોરણે તમામ સંપર્ક તપાસ પ્રક્રિયાને પૂરી કરવા જણાવવામાં આવ્યું હતું.
  • એવું જાણવા મળ્યું છે કે વિદેશીઓ કે જેમણે તબલઘી જમાતમાં ભાગ લીધો હતો તેમણે વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. રાજ્યોને આ કાર્યક્રમના આયોજક વિરુદ્ધ અને આવેલા વિદેશીઓ વિરુદ્ધ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
  • રાજ્યોને આગામી અઠવાડિયા સુધીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનું અમલીકરણ કરવાની સુચના આપવામાં આવી છે. તેના લીધે લાભાર્થીઓને મોટી રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે. તેનું આયોજન થોડા-થોડા સમયે થતુ રહેવું જોઈએ કે જેથી કરીને સામાજિક અંતરની ખાતરી કરી શકાય.
  • એ બાબત નોંધવામાં આવી હતી કે સમગ્ર દેશમાં લૉકડાઉન અસરકારક રીતે અમલમાં મુકવામાં આવી રહ્યું છે. રાજ્યોને એ  બાબતની ખાતરી કરવા જણાવવામાં આવ્યું હતું કે માલસામાનની આંતર-રાજ્ય હેરફેર કરવા માટે સામાજિક અંતર જાળવી રાખીને કોઇપણ પ્રકારના અવરોધ વિના પરવાનગી આપવી જોઈએ.
  • જરૂરી સામાનના ઉત્પાદનની પણ ખાતરી કરવી જોઈએ. એ બાબતની પણ ખાતરી કરવી જોઈએ કે આ પ્રકારના માલસામાનની પુરવઠા શ્રુંખલા જળવાઈ રહે.

GP/RP

******



(Release ID: 1609987) Visitor Counter : 193