પ્રધાનમંત્રીનું કાર્યાલય

આવતીકાલે સવારે 7 થી રાત્રીના 9 દરમિયાન જનતા કર્ફ્યુનું પાલન કરવાની અપીલ


આવતીકાલે સાંજે 5 વાગ્યે નિસ્વાર્થભાવે રાષ્ટ્રની સેવા કરી રહેલા લોકોનો આભાર વ્યક્ત કરવા અપીલ

प्रविष्टि तिथि: 21 MAR 2020 6:37PM by PIB Ahmedabad

વાયરસના પ્રસારને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 22 માર્ચના રોજ સવારના 7 વાગ્યાથી લઇ રાત્રિના 9 વાગ્યા સુધી લોકોને જનતા કર્ફ્યુનું પાલન કરવાની યાદ અપાવી હતી.

મુસીબતના આ સમયમાં દેશના લોકોને પોતાની નિઃસ્વાર્થ સેવા પૂરી પાડી રહેલા લોકોનો આભાર વ્યક્ત કરવા માટે પ્રધાનમંત્રી નાગરિકોને વિનંતી કરી હતી કે તેઓ આવતીકાલે સાંજે 5 વાગ્યે પોતાના ઘરોના દરવાજા પાસે અને બાલ્કનીમાં ઉભા રહે અને પાંચ મિનીટ સુધી તાળી વગાડીને અથવા ઘંટડી વગાડીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે.

RP


(रिलीज़ आईडी: 1607574) आगंतुक पटल : 292
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam