પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું


મહિલાઓ બધું ભૂલી શકે છે, પરંતુ તેમના ગૌરવના અપમાનને ક્યારેય ભૂલશે નહીં: પ્રધાનમંત્રી

જે પક્ષોએ સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ સુધારાનો વિરોધ કર્યો છે, તેઓ મહિલા શક્તિને હળવાશથી લઈ રહ્યા છે: પ્રધાનમંત્રી

નારી શક્તિ વંદન અધિનિયમ સુધારો 21મી સદીની મહિલાઓને સશક્ત બનાવવાનો એક 'મહાયજ્ઞ' હતો: પ્રધાનમંત્રી

વંશવાદી પક્ષો દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમનો વિરોધ કરવાનું એક મુખ્ય કારણ તેમનો ડર છે: પ્રધાનમંત્રી

દેશની 100 ટકા નારી શક્તિના આશીર્વાદ અમારી સાથે છે: પ્રધાનમંત્રી

મહિલા અનામતના માર્ગમાં આવતા દરેક અવરોધને અમે દૂર કરીશું: પ્રધાનમંત્રી

મહિલાઓના અધિકારો છીનવીને આ લોકો ટેબલ થપથપાવી રહ્યા હતા; તે મહિલાઓની ગરિમા અને તેમના સ્વાભિમાન પર હુમલો હતો: પ્રધાનમંત્રી

મહિલા અનામતનો વિરોધ કરવા બદલ, વિપક્ષને તેમણે કરેલા પાપ માટે સજા કરવામાં આવશે: પ્રધાનમંત્રી

પોસ્ટેડ ઓન: 18 APR 2026 11:39PM by PIB Ahmedabad

ભારતની માતાઓ, બહેનો અને દીકરીઓ સંબંધિત અત્યંત ગંભીર મુદ્દા પર રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ મહિલાઓની પ્રગતિ અટકી જવા બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સરકારના અત્યંત અને નિષ્ઠાવાન પ્રયાસો છતાં, નારી શક્તિ વંદન અધિનિયમ સુધારો પસાર થઈ શક્યો નથી, જેનાથી મહિલા વસ્તીના વૈધ સપનાઓ તૂટી ગયા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આ કમનસીબ પરિણામ માટે હું દેશની તમામ માતાઓ અને બહેનોની ક્ષમા માંગુ છું."

રાષ્ટ્રીય હિત સર્વોપરી હોવાનું ભારપૂર્વક જણાવતા, પ્રધાનમંત્રીએ દેશના કલ્યાણ કરતાં પક્ષપાતી લાભોને પ્રાધાન્ય આપવા બદલ ચોક્કસ રાજકીય જૂથોની આકરી ટીકા કરી હતી. દેશભરમાં જોવા મળેલી ગાઢ નિરાશા પર ધ્યાન દોરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બિલની હાર એ મહિલાઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે, જે અપમાન મહિલા મતદારો તેમની યાદોમાં કાયમ માટે અંકિત કરી દેશે. શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, "મહિલાઓ બીજું બધું ભૂલી શકે છે, પરંતુ તેઓ તેમના ગૌરવના અપમાનને ક્યારેય ભૂલતી નથી."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે ભારતની મહિલાઓ દૂષિત ઈરાદાઓથી સારી રીતે વાકેફ છે અને ભવિષ્યમાં અપરાધી રાજકારણીઓને સખત રીતે જવાબદાર ઠેરવશે. નારી શક્તિ વંદન અધિનિયમ સુધારાના પરિવર્તનકારી વિઝન વિશે વિગતવાર જણાવતા, પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે આ કાયદો અડધી વસ્તીને લાંબા સમયથી પડતર અધિકારો આપવા અને નવી તકો ઊભી કરવા માટે રચાયેલ એક ભવ્ય પ્રયાસ હતો. તેમણે અવલોકન કર્યું કે આ બિલનો ઉદ્દેશ્ય પ્રણાલીગત અવરોધોને દૂર કરવાનો અને તમામ રાજ્યોની રાજકીય શક્તિને તેમના કદ કે ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે વધારવાનો હતો. શ્રી મોદીએ નિર્દેશ કર્યો હતો કે, "આ સુધારો મહિલાઓને ભારતના વિકાસની સફરમાં સમાન સહ-યાત્રી બનાવવાનો નિષ્ઠાવાન પ્રયાસ હતો."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના નાગરિકોએ રાજકારણની આ વરવી પેટર્નને સંપૂર્ણપણે ઓળખી લીધી છે અને તેના પાછળના હેતુઓને પૂર્ણપણે સમજી ગયા છે. શ્રી મોદીએ ખાતરીપૂર્વક કહ્યું હતું કે, "મહિલાઓના અધિકારો ચોરવા માટે વપરાતી આ વરવી રાજકીય પેટર્નને હવે દેશે પૂરેપૂરી સમજી લીધી છે."

પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે વંશવાદી પક્ષો ભયભીત છે કે તેમના પરિવારની બહારની સશક્ત મહિલાઓ તેમના સ્થાનિક નેતૃત્વ માટે જોખમ ઊભું કરશે. તેમણે હાઈલાઈટ કર્યું હતું કે હાલમાં પંચાયતોમાં સેવા આપી રહેલી હજારો સક્ષમ મહિલાઓ વંશવાદી રાજકારણીઓની ઊંડે સુધી જડાયેલી અસુરક્ષા માટે સીધો પડકાર છે.

સીમાંકન અંગેના ખોટા વર્ણનોને તોડી પાડતા, પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારે સ્પષ્ટપણે સુનિશ્ચિત કર્યું હતું કે કોઈ પણ રાજ્ય પ્રતિનિધિત્વ ગુમાવશે નહીં, કારણ કે તમામ રાજ્યોની બેઠકો સમાન અને ન્યાયી પ્રમાણમાં વધશે. પ્રાદેશિક વિકાસ માટે ગુમાવેલી તકોને ઉજાગર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સુધારાથી તમિલનાડુ, બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો માટે સંસદીય બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો હોત.

અગાઉ વિરોધ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ પરિવર્તનકારી પહેલોની યાદી આપતા, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે જન ધન-આધાર-મોબાઈલ ત્રિપુટી, ડિજિટલ પેમેન્ટ્સ, GST અને ટ્રિપલ તલાક વિરુદ્ધના કાયદાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે હાઈલાઈટ કર્યું કે અગાઉ CAA કાયદા પર પણ અરાજકતા ઊભી કરવામાં આવી હતી અને માઓવાદી હિંસા નાબૂદ કરવાના પ્રયાસોમાં સતત અવરોધ ઉભા કરવામાં આવ્યા છે.

ભારતના ઐતિહાસિક વિકાસમાં કાર્યોમાં થયેલા વિલંબનો ઊલ્લેખ  કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જરૂરી નિર્ણયોને પડદા પાછળ ધકેલી દેવાની સતત વ્યૂહરચનાએ આઝાદી પછી અન્ય દેશોને ભારતથી આગળ નીકળી જવાની મંજૂરી આપી. તેમણે હાઈલાઈટ કર્યું હતું કે સીમા વિવાદના ઉકેલો, OBC અનામત અને સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન યોજના સહિતના નિર્ણાયક રાષ્ટ્રીય સંકલ્પોને ટલ્લે ચઢાવવામાં 40 વર્ષ વિતાવ્યા છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતીયોની પેઢીઓએ આવી અનિર્ણાયકતા અને છેતરપિંડીના કારણે ઘણું સહન કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન રાજકીય લડાઈ માત્ર એક કાયદા વિશે નથી, પરંતુ ઊંડી નકારાત્મક, સુધારા વિરોધી માનસિકતા સામેનું વ્યાપક યુદ્ધ છે. શ્રી મોદીએ નિર્દેશ કર્યો હતો કે, "મને શંકા નથી કે દેશની તમામ બહેનો અને દીકરીઓ આ ઝેરી માનસિકતાને જડબાતોડ જવાબ આપશે."

બિલની નિષ્ફળતા સરકારની ખામી દર્શાવે છે તેવા દાવાઓને ફગાવી દેતા, પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે જો વિપક્ષે માત્ર કાયદાને ટેકો આપ્યો હોત તો તેઓ જાહેરાતો દ્વારા વિપક્ષને સંપૂર્ણ શ્રેય આપવા માટે સંપૂર્ણ તૈયાર હતા. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ મુદ્દો ક્યારેય રાજકીય શ્રેય લેવા વિશે નહોતો; તે અધિકારો સુરક્ષિત કરવા વિશે હતો."

મહિલા સશક્તિકરણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા, પ્રધાનમંત્રીએ લાખો મહિલાઓ દ્વારા અનુભવાતા દુઃખ પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે સંસદીય સંખ્યાના અભાવ છતાં તેમનો સંકલ્પ સંપૂર્ણપણે અડગ છે. તેમણે કાયદાના માર્ગમાં આવતા દરેક ભાવિ અવરોધને દૂર કરવાનું વચન આપ્યું હતું અને જાહેર કર્યું હતું કે સરકાર આખરે રાષ્ટ્રની 100 ટકા મહિલાઓના આશીર્વાદથી સફળ થશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અડધી આબાદીના સપના અને દેશના ભવિષ્ય માટે, અમારે આ સંકલ્પ પૂરો કરવો જ પડશે."

 

 

 

,/center>

 

 

 

 

 


SM/DK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2253468) મુલાકાતી સંખ્યા : 17