ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજમાતા જીજાબાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


રાજમાતા જીજાબાઈએ છત્રપતિ શિવાજી મહારાજને હિન્દુ સ્વરાજની સ્થાપના કરવા અને રાષ્ટ્રીય સંરક્ષણના ઉમદા ધ્યેયને પ્રાપ્ત કરવા પ્રેરણા આપી

રાજમાતા જીજાબાઈએ બાળપણથી જ છત્રપતિ શિવાજી મહારાજમાં હિંમત, આત્મસન્માન અને પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાના મૂલ્યો સિંચ્યા હતાં

प्रविष्टि तिथि: 12 JAN 2026 11:16AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજમાતા જીજાબાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું કે તેમણે છત્રપતિ શિવાજી મહારાજના મનમાં હિંદવી સ્વરાજ સ્થાપિત કરવાના સંકલ્પને જાગૃત કરીને રાષ્ટ્રનું રક્ષણ કરવાના ઉમદા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી.

શ્રી અમિત શાહે X પર એક પોસ્ટમાં કહ્યું, “રાજમાતા જીજાબાઈએ બાળપણથી જ છત્રપતિ શિવાજી મહારાજમાં હિંમત, આત્મસન્માન અને પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાના મૂલ્યો જગાડ્યા હતા. તેમણે શિવાજી મહારાજના મનમાં હિંદવી સ્વરાજ સ્થાપિત કરવાના સંકલ્પને જાગૃત કરીને રાષ્ટ્રનું રક્ષણ કરવાના ઉમદા ધ્યેય તરફ પ્રેરણા આપી હતી. રાજમાતા જીજાબાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાપૂર્વક નમન.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2213612) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Tamil , Kannada , Malayalam