પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું


પ્રધાનમંત્રીએ પ્રશાંતી નિલયમ ખાતે શ્રી સત્ય સાંઈ બાબાને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રીએ શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌદાન સમારોહમાં ભાગ લીધો

प्रविष्टि तिथि: 19 NOV 2025 1:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી પહોંચ્યા, જ્યાં સાંઈ રામના દિવ્ય મંત્ર સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ પ્રશાંતી નિલયમના સાંઈ કુલવંત હોલમાં શ્રી સત્ય સાંઈ બાબાને શ્રદ્ધાંજલિ આપીને દર્શન માટે ઓમકાર હોલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આ પવિત્ર સ્થળોની મુલાકાત લેવાથી શ્રી સત્ય સાંઈ બાબાની અસીમ કરુણા અને માનવતાના ઉત્થાન માટે આજીવન પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, શ્રી સત્ય સાંઈ બાબાનો નિઃસ્વાર્થ સેવાનો સંદેશ લાખો લોકોને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રી શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌદાન સમારોહમાં પણ ભાગ લીધો હતો, જેણે પશુ કલ્યાણના ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય સહિત અનેક ઉમદા પહેલો હાથ ધરી છે. આ સમારોહના ભાગરૂપે, ગીર ગાયો સહિત ગાયો ખેડૂતોને ભેટમાં આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, દરેક વ્યક્તિએ શ્રી સત્ય સાંઈ બાબાના આદર્શોને અનુસરીને સમાજના કલ્યાણ માટે કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ.

X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"સાઈ રામના દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી પહોંચ્યા જ્યાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું."

"પ્રશાંતી નિલયમના સાંઈ કુલવંત હોલ ખાતે શ્રી સત્ય સાંઈ બાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દર્શન માટે ઓમકાર હોલની મુલાકાત લીધી. આ પવિત્ર સ્થળોની મુલાકાત આપણને તેમની અસીમ કરુણા અને માનવતાના ઉત્થાન પ્રત્યેની આજીવન પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે. નિઃસ્વાર્થ સેવાનો તેમનો સંદેશ લાખો લોકોને માર્ગદર્શન અને પ્રેરણા આપતો રહે છે."


શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતા ઘણા ઉમદા કાર્યોમાં, પશુ કલ્યાણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આજે, મેં ગૌદાન સમારોહમાં હાજરી આપી હતી, જ્યાં ખેડૂતોને ગાયોનું દાન કરવામાં આવી રહ્યું છે. નીચેના ફોટામાં દેખાતી ગાયો ગીર ગાયો છે! આપણે બધા શ્રી સત્ય સાંઈ બાબા દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીને આપણા સમાજના કલ્યાણ માટે કાર્ય કરતા રહીએ.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2191623) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Tamil , Telugu , Kannada , Malayalam