પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પોલીસ સ્મૃતિ દિવસ પર બહાદુર પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 21 OCT 2025 9:10AM by PIB Ahmedabad

પોલીસ સ્મારક દિવસના શુભ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પોલીસ કર્મચારીઓના સાહસ અને બલિદાનને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રાષ્ટ્ર અને તેના નાગરિકોની સુરક્ષા પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને સ્વીકાર્યું હતું.

આજે X પર એક સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"પોલીસ સ્મારક દિવસ પર આપણા પોલીસ કર્મચારીઓના સાહસને સલામ અને ફરજ બજાવવામાં આપેલા તેમના સર્વોચ્ચ બલિદાનને અમે યાદ કરીએ છીએ. તેમનું અડગ સમર્પણ આપણા રાષ્ટ્ર અને લોકોને સુરક્ષિત રાખે છે. કટોકટી અને જરૂરિયાતના સમયે તેમની બહાદુરી અને પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે."

 

SM/GP/NP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2181084) Visitor Counter : 11