પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અને પૂરથી પ્રભાવિત લોકો સાથે એકતા વ્યક્ત કરી; શક્ય તમામ સહાયની ખાતરી આપી

પોસ્ટેડ ઓન: 14 AUG 2025 4:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી અને ત્યારબાદ આવેલા પૂર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ખાતરી આપી છે કે આફતથી પ્રભાવિત લોકોને સમયસર સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"મારા વિચારો અને પ્રાર્થનાઓ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂરથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. જરૂરિયાતમંદોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે."

SM/NP/GP/JD


(રીલીઝ આઈડી: 2156470) મુલાકાતી સંખ્યા : 43