પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુમુદિની લાખિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 12 APR 2025 3:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુમુદિની લાખિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે, તેમને એક ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રતિક તરીકે બિરદાવ્યા, જેમનો કથક અને ભારતીય શાસ્ત્રીય નૃત્યો પ્રત્યેનો જુસ્સો તેમના નોંધપાત્ર કાર્યમાં પ્રતિબિંબિત થયો.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

"કુમુદિની લાખિયાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું, જેમણે એક ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રતિક તરીકે છાપ છોડી. કથક અને ભારતીય શાસ્ત્રીય નૃત્યો પ્રત્યેનો તેમનો જુસ્સો વર્ષોથી તેમના નોંધપાત્ર કાર્યમાં પ્રતિબિંબિત થયો. એક સાચા પ્રણેતા, તેમણે નર્તકોની પેઢીઓનું પણ પાલન કર્યું. તેમના યોગદાનને યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર, વિદ્યાર્થીઓ અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

AP/JY/GP/JD


(રીલીઝ આઈડી: 2121215) મુલાકાતી સંખ્યા : 103