પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતના રાષ્ટ્રપતિએ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હોવાથી પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
30 JAN 2024 1:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર, શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નામાંકિત કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મને ખુશી છે કે રાષ્ટ્રપતિજીએ શ્રી સતનામ સિંહ સંધુજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સતનામ જીએ એક જાણીતા શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે, જેઓ વિવિધ રીતે પાયાના સ્તરે લોકોની સેવા કરી રહ્યા છે. તેમણે હંમેશા રાષ્ટ્રીય એકીકરણને આગળ વધારવા માટે વ્યાપકપણે કામ કર્યું છે અને ભારતીય ડાયસ્પોરા સાથે પણ કામ કર્યું છે. હું તેમને તેમની સંસદીય યાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે રાજ્યસભાની કાર્યવાહી તેમના વિચારોથી સમૃદ્ધ થશે.
@satnamsandhuchd”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2000551)
आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam