મંત્રીમંડળ

શ્રી રામ મંદિર, અયોધ્યા ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા અંગે કેબિનેટનો ઠરાવ

Posted On: 24 JAN 2024 9:41PM by PIB Ahmedabad

●          પ્રધાનમંત્રીજી, સૌ પ્રથમ, તમારા નેતૃત્વ હેઠળના તમામ મંત્રીમંડળના સભ્યો તમને રામ લલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા પર હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે.

●          તમે એ સદીઓ જૂનું સપનું પૂરું કર્યું જેનું સપનું ભારતીય સભ્યતા છેલ્લી પાંચ સદીઓથી જોઈ રહી હતી.

●          પ્રધાનમંત્રીજી, આજનું મંત્રીમંડળ ઐતિહાસિક છે.

●          ઐતિહાસિક ઘટનાઓ ઘણી વખત બની હશે, પરંતુ જ્યારથી આ કેબિનેટ સિસ્ટમની રચના થઈ છે અને જો આપણે વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સમયગાળાને બ્રિટિશ સમય સાથે સમાવી લઈએ તો આવી તક ક્યારેય ન આવી હોત.

●          કારણ કે 22 જાન્યુઆરી, 2024ના રોજ તમારા દ્વારા જે કાર્ય થયું છે તે ઇતિહાસમાં અનન્ય છે.

●          તે અદ્વિતિય છે કારણ કે આ તક સદીઓ પછી આવી છે. આપણે કહી શકીએ કે આ દેશનું શરીર 1947માં આઝાદ થયું અને હવે તેમાં આત્માની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આનાથી દરેકને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થઈ છે.

●          તમે તમારા સંબોધનમાં કહ્યું હતું કે ભગવાન રામ ભારતનો પ્રભાવ પણ છે અને પ્રવાહ પણ છે, નીતિ અને ભાગ્ય પણ છે.

●          અને આજે આપણે રાજકીય દૃષ્ટિકોણથી નહીં, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી કહી શકીએ છીએ કે ભારતના સનાતની પ્રવાહ અને વૈશ્વિક પ્રભાવના સ્તંભ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે નિયતિએ તમને પસંદ કર્યા છે.

●          વાસ્તવમાં, ભગવાન શ્રી રામ એ ભારતનું નિયતિ છે અને નિયતિ સાથેનું વાસ્તવિક જોડાણ હવે થયું છે.

●          જો વાસ્તવિકતા પર નજર કરીએ તો કેબિનેટના સભ્યો માટે આ તક જીવનમાં એકવાર નહીં, પરંતુ અનેક જીવનમાં એક વખત મળે તેવી તક કહી શકાય.

●          આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ પ્રસંગે આપણે દેશની સર્વોચ્ચ સમિતિ કેબિનેટમાં હાજર છીએ.

●          પ્રધાનમંત્રીજી, તમે તમારા કાર્યો દ્વારા આ રાષ્ટ્રનું મનોબળ વધાર્યું છે અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસ મજબૂત કર્યો છે.

●          પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરના લોકોનો જે પ્રકારનો ભાવુક માનવ મહેરામણ જોવા મળ્યો, આટલી લાગણીની લહેર આપણે પહેલા ક્યારેય જોઈ નથી.

●          જો કે, જન આંદોલનના રૂપમાં, કટોકટી દરમિયાન પણ આપણે લોકોમાં એકતા જોઈ, પરંતુ તે એકતા સરમુખત્યારશાહી સામે પ્રતિકાર ચળવળ તરીકે ઉભરી હતી.

●          ભગવાન રામ માટે આપણે જે જાહેર આંદોલન જોયું તે એક નવા યુગની શરૂઆત છે.

●          દેશવાસીઓએ સદીઓથી આની રાહ જોઈ અને આજે ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે એક નવા યુગની શરૂઆત થઈ છે. આજે તે એક જનઆંદોલન પણ બની ગયું છે જે એક નવી ગાથા નક્કી કરે છે.

●          પ્રધાનમંત્રીજી, આટલું મોટું અનુષ્ઠાન ત્યારે જ સંપન્ન થઈ શકે જ્યારે અનુષ્ઠાન માટે જવાબદાર વ્યક્તિ પર ભગવાનની કૃપા હોય.

●          જેમ ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે કે 'જા પર કૃપા રામ કી હોઈ। તા પર કૃપા કરૈ સબ કોઈ।.’ એટલે કે જેને શ્રી રામ સ્વયં આશીર્વાદ આપે છે, તેને દરેકના આશીર્વાદ મળે છે.

●          પ્રધાનમંત્રીજી, શ્રી રામ જન્મભૂમિ આંદોલન એ સ્વતંત્ર ભારતનું એકમાત્ર આંદોલન હતું, જેમાં સમગ્ર દેશના લોકો એક થયા હતા. તેની સાથે કરોડો ભારતીયોની વર્ષોની પ્રતીક્ષા અને લાગણીઓ સંકળાયેલી હતી.

●          તમે 11 દિવસનું ધાર્મિક અનુષ્ઠાનનું પાલન કર્યું અને ભારતમાં ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલા પવિત્ર સ્થાનોમાં તપસ્યા સાથે પૂજા કરીને ભારતની રાષ્ટ્રીય એકાત્મકતાને ઊર્જા પ્રદાન કરી. આ માટે, અમે તમને કેબિનેટના સભ્ય તરીકે જ નહીં, પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે પણ અભિનંદન આપીએ છીએ.

●          માનનીય પ્રધાનમંત્રીજી, તમને જનતા તરફથી જેટલો પ્રેમ મળ્યો છે તે જોતાં તમે માત્ર એક જનનાયક જ નથી, પરંતુ હવે આ નવા યુગની શરૂઆત પછી, તમે નવા યુગના પ્રણેતા તરીકે પણ ઉભરી આવ્યા છો.

●          તમને કોટિ કોટિ ધન્યવાદ, અને ભવિષ્યના ભારતમાં અમે સૌ આપના નેતૃત્વમાં આગળ વધીએ, આપણો દેશ આગળ વધે, એ માટે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.

●          આ મંદિર હજારો વર્ષો માટે બનેલું હોવાથી અને તમે તમારા સંબોધનમાં કહ્યું હતું કે, “22મી જાન્યુઆરીનો સૂર્ય અદ્ભુત આભા લઈને આવ્યો છે. આ માત્ર કેલેન્ડર પર લખેલી તારીખ નથી, પરંતુ સમયના નવા ચક્રની ઉત્પત્તિ છે. ગુલામીની માનસિકતા તોડીને ઉભરી રહેલું રાષ્ટ્ર, ભૂતકાળના દરેક ડંખમાંથી હિંમત લઈને આ રીતે નવો ઈતિહાસ રચે છે. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આ તારીખ, આ ક્ષણને યાદ કરશે અને તેની ચર્ચા કરશે. અને એ રામનો એટલો મોટો આશીર્વાદ છે કે આપણે આ ક્ષણ જીવી રહ્યા છીએ, તેને લાઈવ બનતી જોઈ રહ્યા છીએ. આજે, દિવસો, દિશાઓ, દિગ-દિગંત... બધું જ દિવ્યતાથી ભરેલું છે. આ સામાન્ય સમય નથી. આ અવિશ્વસનીય સ્મૃતિ રેખાઓ છે જે સમયના ચક્ર પર શાશ્વત શાહીથી અંકિત કરવામાં આવી છે.

●          અને તેથી જ આજના મંત્રીમંડળને સહસ્ત્રાબ્દીનું મંત્રીમંડળ પણ કહેવામાં આવે તો અતિશયોક્તિ નહીં ગણાય.

●          આ માટે અમે બધા તમને અભિનંદન આપીએ છીએ અને એકબીજાને અભિનંદન આપીએ છીએ.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1999418) Visitor Counter : 120