પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ધનુષકોડીમાં કોથંદરામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન કર્યા

Posted On: 21 JAN 2024 3:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ધનુષકોડીમાં કોથંદરામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

આ મંદિર શ્રી કોથંદરામાસ્વામીને સમર્પિત છે. કોથંદરામા નામનો અર્થ થાય છે ધનુષ્ય સાથે રામ. તે ધનુષકોડી નામના સ્થળે આવેલું છે. એવું કહેવાય છે કે અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમ મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો. કેટલાક દંતકથાઓ એવું પણ કહે છે કે આ તે સ્થાન છે જ્યાં શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કરાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ x પર પોસ્ટ કર્યું:

પ્રતિષ્ઠિત કોથંદરામાસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી. અત્યંત ધન્યતા અનુભવી.”

YP/JD



(Release ID: 1998356) Visitor Counter : 70