પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી ‘ધ સિંધિયા સ્કૂલ’ના 125મા સ્થાપક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે

Posted On: 20 OCT 2023 7:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી ઑક્ટોબર, 2023ના રોજ સાંજે 5 વાગ્યે ગ્વાલિયરમાં ‘ધ સિંધિયા સ્કૂલ’ના 125મા સ્થાપક દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી શાળામાં ‘બહુહેતુક રમતગમત સંકુલ’નો શિલાન્યાસ કરશે અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારાઓને શાળાના વાર્ષિક પુરસ્કારો અર્પણ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

સિંધિયા સ્કૂલની સ્થાપના 1897માં કરવામાં આવી હતી અને તે ઐતિહાસિક ગ્વાલિયર કિલ્લાની ટોચ પર સ્થિત છે.

CB/GP/JD



(Release ID: 1969531) Visitor Counter : 142