પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાણીતા વૈજ્ઞાનિક ડૉ. એન. ગોપાલકૃષ્ણનના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 28 APR 2023 10:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા વૈજ્ઞાનિક ડૉ. એન. ગોપાલકૃષ્ણનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ડૉ. એન. ગોપાલકૃષ્ણનજીના નિધનથી વ્યથિત છું. તેઓ બહુમુખી વ્યક્તિત્વ હતા. તેમણે વિજ્ઞાન અને શિક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના સમૃદ્ધ આધ્યાત્મિક જ્ઞાન અને ભારતીય ફિલસૂફીમાં રુચિ માટે પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1920402) Visitor Counter : 164