પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 25 APR 2023 9:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શ્રી પ્રકાશ સિંહ બાદલના નિધન પર ઊંડ શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટ થ્રેડમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

શ્રી પ્રકાશ સિંહ બાદલજીના નિધનથી અત્યંત દુઃખી છું. તેઓ ભારતીય રાજનીતિની પ્રચંડ વ્યક્તિ હતા, અને એક નોંધપાત્ર રાજનેતા હતા જેમણે આપણા રાષ્ટ્ર માટે ઘણું યોગદાન આપ્યું હતું. તેમણે પંજાબની પ્રગતિ માટે અથાક મહેનત કરી અને નિર્ણાયક સમયમાં રાજ્યનું સંચાલન કર્યું.

શ્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન મારા માટે વ્યક્તિગત ખોટ છે. મેં ઘણા દાયકાઓથી તેમની સાથે નજીકથી વાતચીત કરી છે અને તેમની પાસેથી ઘણું શીખ્યો છું. મને અમારી અસંખ્ય વાતચીતો યાદ છે, જેમાં તેમનું શાણપણ હંમેશા સ્પષ્ટપણે જોવા મળતું હતું. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1919708) Visitor Counter : 147