પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં 254 4G મોબાઈલ ટાવર લગાવવા પર ખુશી વ્યક્ત કરી

Posted On: 23 APR 2023 9:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં 254 4G મોબાઈલ ટાવર લગાવવા પર ખુશી વ્યક્ત કરી છે.

એક ટ્વીટ થ્રેડમાં, કેન્દ્રીય મંત્રી, શ્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે અરુણાચલ પ્રદેશમાં, 254 4G મોબાઇલ ટાવર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે 336 દૂરના ગામડાઓમાં આ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સુવિધા લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.

કેન્દ્રીય મંત્રી દ્વારા ટ્વીટ થ્રેડોનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"અરુણાચલ પ્રદેશમાં કનેક્ટિવિટી આગળ વધારવા માટેના ઉત્તમ સમાચાર."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1918897) Visitor Counter : 148