પ્રધાનમંત્રીનું કાર્યાલય

PTP-NER એ એક મહાન યોજના છે, જેનો હેતુ પૂર્વોત્તરના પ્રતિભાશાળી કારીગરોના જીવનને સુધારવાનો છે: પીએમ

Posted On: 19 APR 2023 3:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉત્તર-પૂર્વીય પ્રદેશ (PTP-NER)ના આદિજાતિ ઉત્પાદનોના પ્રમોશન માટે માર્કેટિંગ અને લોજિસ્ટિક્સ ડેવલપમેન્ટ એ એક મહાન યોજના છે, જેનો હેતુ પૂર્વોત્તરના પ્રતિભાશાળી કારીગરોના જીવનને સુધારવાનો છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે આ યોજના પૂર્વોત્તરમાંથી ઉત્પાદનો માટે સારી દૃશ્યતા પણ સુનિશ્ચિત કરશે.

આદિજાતિ બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડાએ એક ટ્વીટ થ્રેડમાં માહિતી આપી હતી કે PTP-NER યોજનાનો ઉદ્દેશ્ય ઉત્પાદનોની પ્રાપ્તિ, લોજિસ્ટિક્સ અને માર્કેટિંગમાં ઉન્નત કાર્યક્ષમતા દ્વારા આદિવાસી કારીગરો માટે આજીવિકાની તકોને મજબૂત કરવાનો છે.

કેન્દ્રીય પ્રધાન દ્વારા કરાયેલા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“PTP-NER એ એક મહાન યોજના છે, જેનો હેતુ પૂર્વોત્તરના પ્રતિભાશાળી કારીગરોના જીવનને સુધારવાનો છે. તે ઉત્તરપૂર્વના ઉત્પાદનો માટે સારી દૃશ્યતા પણ સુનિશ્ચિત કરશે. આના કારણે આદિવાસી સમુદાયોને ખાસ ફાયદો થશે.”

YP/GP/JD



(Release ID: 1917903) Visitor Counter : 146