પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું
મેટ્રોમાં સવારી કરી
प्रविष्टि तिथि:
25 MAR 2023 2:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું. તેમણે નવી ઉદ્ઘાટન કરાયેલ મેટ્રોમાં સવારી પણ કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"PM નરેન્દ્ર મોદી બેંગલુરુ મેટ્રોમાં સવાર છે, જીવનના વિવિધ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે."
વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા પછી, પ્રધાનમંત્રીએ પહેલા ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી અને પછી આ પ્રસંગે મૂકવામાં આવેલા પ્રદર્શનનું વોકથ્રુ લીધું. પ્રધાનમંત્રીએ ત્યારબાદ વ્હાઇટ ફિલ્ડ મેટ્રો લાઇનના ઉદ્ઘાટન માટે તકતીનું અનાવરણ કર્યું અને મેટ્રોમાં ચડવા માટે પ્લેટફોર્મ તરફ આગળ વધ્યા. તેમના પ્રવાસ દરમિયાન, તેમણે બેંગ્લોર મેટ્રોના કામદારો અને કર્મચારીઓ સાથે વાતચીત કરી.
પ્રધાનમંત્રીની સાથે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત અને કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈ પણ હતા.
પૃષ્ઠભૂમિ
પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં વિશ્વ-સ્તરીય શહેરી ગતિશીલતા માળખાના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેની અનુસંધાનમાં, બેંગ્લોર મેટ્રો ફેઝ 2 હેઠળ વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રોથી ક્રિષ્નારાજપુરા મેટ્રો લાઇનની 13.71 કિમી લાંબી રીચ-1 એક્સ્ટેંશન પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી દ્વારા વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રો સ્ટેશન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 4250 કરોડના ખર્ચે બનેલ, આ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન બેંગલુરુના મુસાફરોને સ્વચ્છ, સલામત, ઝડપી અને આરામદાયક મુસાફરીની સુવિધા પૂરી પાડશે, જે ગતિશીલતામાં સરળતા વધારશે અને શહેરમાં ટ્રાફિકની ભીડમાં ઘટાડો કરશે.
GP/JD
(रिलीज़ आईडी: 1910727)
आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam