પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 20 FEB 2023 8:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી ઓ.પી. કોહલી જીના નિધનથી દુઃખી છું. તેમણે દિલ્હીમાં અમારી પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સાંસદ અને રાજ્યપાલ તરીકે, તેમણે લોક કલ્યાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓ શિક્ષણ ક્ષેત્ર વિશે પણ જુસ્સાદાર હતા. મારા વિચારો તેમના પરિવાર સાથે છે. ઓમ શાંતિ."

GP/JD



(Release ID: 1900880) Visitor Counter : 210