પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છા પાઠવી

નાગરિકોને 26મી ફેબ્રુઆરી, 2023ના રોજ મન કી બાત કાર્યક્રમ માટે ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી

प्रविष्टि तिथि: 13 FEB 2023 9:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને બ્રોડકાસ્ટિંગ ઇકો-સિસ્ટમ સાથે સંકળાયેલા અન્ય તમામને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ 26મી ફેબ્રુઆરી, 2023ના રોજ મન કી બાત કાર્યક્રમ માટેના તેમના ઇનપુટ્સ શેર કરવા નાગરિકોને પણ વિનંતી કરી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"વિશ્વ રેડિયો દિવસના વિશેષ અવસર પર પ્રસારણની ઇકો-સિસ્ટમ સાથે સંકળાયેલા તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને અન્ય તમામને શુભેચ્છાઓ. રેડિયો નવીન કાર્યક્રમો દ્વારા અને માનવ સર્જનાત્મકતાનું પ્રદર્શન કરીને જીવનને ઉજ્જવળ કરતું રહે એવી શુભકામના."

વિશ્વ રેડિયો દિવસ હોવાથી, હું તમને બધાને 26મીએ 98માં #MannKiBaat કાર્યક્રમની યાદ અપાવવાની તક લેવા માંગુ છું. તેના માટે તમારા ઇનપુટ્સ શેર કરો. MyGov, NaMo એપ પર લખો અથવા 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1898622) आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam