પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ તેલુગુ સુપરસ્ટાર કૃષ્ણા ગરુના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 15 NOV 2022 1:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલુગુ સુપરસ્ટાર કૃષ્ણા ગરુના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું છે કે કૃષ્ણ ગરુનું નિધન સિનેમા અને મનોરંજન જગત માટે એક મોટી ખોટ છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"કૃષ્ણ ગરુ એક સુપ્રસિદ્ધ સુપરસ્ટાર હતા, જેમણે તેમના બહુમુખી અભિનય અને જીવંત વ્યક્તિત્વ દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા. તેમના નિધનથી સિનેમા અને મનોરંજનની દુનિયા માટે એક મોટી ખોટ છે. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો @urstrulyMahesh અને તેમના સમગ્ર પરિવાર સાથે છે. ઓમ શાંતિ."

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1876100) મુલાકાતી સંખ્યા : 249