પ્રધાનમંત્રીનું કાર્યાલય
કોપનહેગનમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીશ્રીનો વાર્તાલાપ
Posted On:
03 MAY 2022 9:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ. કુ. મેટ્ટે ફ્રેડરિકસેન સાથે કોપનહેગનમાં બેલા સેન્ટર ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. ડેનમાર્કમાં ભારતીય સમુદાયના 1000થી વધુ સભ્યો સામેલ હતા જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિકો અને વેપારી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એ સૌએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ પ્રધાનમંત્રી ફ્રેડરિકસેનની ભારતીયો પ્રત્યેની હૂંફ અને આદરની પ્રશંસા કરી હતી અને બંને દેશો હરિયાળી વૃદ્ધિ માટે નવીન ઉકેલો શોધવામાં સાથે મળીને કામ કરી શકે છે. તેમણે ડેનમાર્કમાં ભારતીય સમુદાય દ્વારા ભજવવામાં આવેલી સકારાત્મક ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે ભારતની આર્થિક ક્ષમતાને પ્રકાશિત કરી અને વધુ ભારત-ડેનમાર્ક સહયોગને આમંત્રિત કર્યા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1822504)
Visitor Counter : 144
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam