પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મ્વાલિમુ ન્યરેરેને તેમની 100મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 13 APR 2022 1:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન નેતા અને ભારતના મિત્ર મ્વાલિમુ ન્યરેરેને તેમની 100મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે મ્વાલિમુ ન્યરેરેના એકતા અને સમાનતાના સિદ્ધાંતો આજે પણ એટલા જ સુસંગત છે. તેમનું જીવન અને કાર્ય આપણા બધા માટે સતત પ્રેરણા બની રહેશે, એમ શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"મ્વાલિમુ ન્યરેરેનું જીવન અને તેમનું કાર્ય આપણા બધા માટે સતત પ્રેરણા બની રહે છે. તેમણે જે એકતા અને સમાનતાના સિદ્ધાંતોની હિમાયત કરી હતી તે આજે પણ હંમેશની જેમ સુસંગત છે. મહાન નેતા અને ભારતના મિત્રને તેમની 100મી જન્મજયંતી પર મારી શ્રદ્ધાંજલિ."

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1816329) Visitor Counter : 168