પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ જાણીતા કન્નડ લેખક અને કવિ શ્રી ચેન્નવીરા કણવીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 16 FEB 2022 7:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા કન્નડ લેખક અને કવિ શ્રી ચેન્નવીરા કણવીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી ચેન્નવીરા કણવીની ઉત્કૃષ્ટ કવિતાઓ અને લખાણોએ કન્નડ સાહિત્યને દાયકાઓ સુધી સમૃદ્ધ બનાવ્યું છે. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    



(Release ID: 1798866) Visitor Counter : 155