પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ રેડિયો દિવસ પર રેડિયો શ્રોતાઓ અને આ ઉત્કૃષ્ટ માધ્યમને સમૃદ્ધ બનાવનારાઓને શુભેચ્છા પાઠવી

Posted On: 13 FEB 2022 3:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને અને આ ઉત્કૃષ્ટ માધ્યમને તેમની પ્રતિભા તેમજ સર્જનાત્મકતાથી સમૃદ્ધ બનાવનારાઓને શુભેચ્છા પાઠવી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"તમામ રેડિયો શ્રોતાઓને અને જેઓ આ ઉત્કૃષ્ટ માધ્યમને તેમની પ્રતિભા તેમજ સર્જનાત્મકતાથી સમૃદ્ધ બનાવે છે તેમને વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ. તે ઘરે હોય, મુસાફરી દરમિયાન હોય કે પછી અન્ય સ્થળે, રેડિયો લોકોના જીવનનો અભિન્ન ભાગ બની રહે છે. તે એક અદ્ભુત માધ્યમ છે. લોકોને જોડે છે."

"#MannKiBaat ને કારણે, હું વારંવાર જોઉં છું કે કેવી રીતે રેડિયો સકારાત્મકતા શેર કરવા માટે તેમજ અન્ય લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં મોખરે રહેલા લોકોને ઓળખવા માટે એક શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. હું તે બધાનો પણ આભાર માનું છું જેઓ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798058) Visitor Counter : 205