પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન પર આભારવિધી દરમિયાન પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

Posted On: 08 FEB 2022 9:50PM by PIB Ahmedabad

માનનીય સભાપતિજી,

રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર અહીં વિસ્તારપૂર્વક ચર્ચા થઈ. હું રાષ્ટ્રપતિજીનો આભાર પ્રગટ કરવા માટે, આ ચર્ચામાં હિસ્સો લેવા માટે આપે સમય આપ્યો, હું તમારો આભારી છું. આદરણીય રાષ્ટ્રપતિજીએ તાજેતરના કોરોનાના આ કપરા કાળખંડમાં પણ દેશમાં ચારે દિશામાં કેવી રીતે પહેલ કરાઈ, દેશના દલિત, પીડિત, ગરીબ, શોષિત, મહિલા, યુવાન અનેક જીવનને સશક્તીકરણ માટે, તેમના જીવનમાં પરિવર્તન માટે દેશમાં જે કાંઈ પ્રવૃત્તિ થઈ છે તેની એક સંક્ષિપ્ત રૂપરેખા દેશ સમક્ષ પ્રસ્તુત કરી. અને તેમાં એક આશા પણ છે, વિશ્વાસ પણ છે, સંકલ્પ પણ છે, સમર્પણ પણ છે. અનેક માનનીય સદસ્યોએ વિસ્તારપૂર્વક ચર્ચા કરી. માનનીય ખડગેજીએ કાંઈક દેશ માટે, કાંઇક પક્ષ માટે, કાંઇક ખુદ માટે ઘણી બધી વાતો કરી હતી. આનંદ શર્માજીએ પણ તેમને જરા સમયની તકલીફ રહી, પરંતુ તેમ છતાં તેમણે પ્રયાસ કર્યો. અને તેમણે કહ્યું કે દેશની ઉપલબ્ધિઓનો સ્વીકાર કરવામાં આવે. શ્રીમાન મનીષ જ્હાજીએ રાજકારણથી પર અભિભાષણ હોવું જોઇએ તેની સારી સલાહ આપી. પ્રસુન્ના આચાર્યજીએ વીર બાળ દિવસ દિવસ અને નેતાજી સાથે સંકળાયેલા કાનૂન અંગે પણ વિસ્તૃત પ્રશંસા કરી. ડૉક્ટર ફૌજિયા ખાનજી એ બંધારણની પ્રતિષ્ઠાને લઇને વિસ્તારપૂર્વક ચર્ચા કરી. દરેક સદસ્યોએ પોતાના અનુભવને આધારે પોતાની રાજકીય વિચારધારાના આધારે અને રાજકીય સ્થિતિને આધારે પોતપોતાની વાતો આપણી સમક્ષ રજૂ કરી. હું તમામ માનનીય સદસ્યોનો આ માટે હૃદયપૂર્વક આભાર માનું છું.

આદરણીય સભાપતિજી,

આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. 75 વર્ષની આઝાદીના આ કાળખંડમાં દેશને દિશા ચીંધવાના, દેશને ગતિ આપવાના અનેક કક્ષાએ પ્રયાસ થયા છે. અને એ તમામના હિસાબ-કિતાબ સાથે રાખીને જે સારું છે તેને આગળ ધપાવવુ, જે ખામીઓ છે તેને સુધારવાની. અને જ્યાં નવી પહેલીની આવશ્યકતા છે તે નવી પહેલ કરવી અને દેશ જ્યારે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે આપણે દેશને ક્યાં લઈ જવો છે, કેવી રીતે લઈ જવો છે, કઈ કઈ યોજનાઓની મદદથી આગળ લઈ જઈ શકીએ છીએ તેના માટે આ ઘણો જ મહત્વપૂર્ણ સમય છે.  અને આપણે તમામ રાજકીય નેતાઓએ રાજકારણના ક્ષેત્રના કાર્યકર્તાઓએ પોતાનું ધ્યાન પણ અને દેશનું ધ્યાન પણ આવનારા 25 વર્ષ માટે દેશને કેવી રીતે આગળ લઈ જવાનો છે તેના માટે કેન્દ્રિત કરવું જોઇએ અને મને વિશ્વાસ છે કે તેનાથી જે સંકલ્પ ઉભરીને આવશે, તે સંકલ્પમાં તમામની સામૂહિક ભાગીદારી હશે. તમામની જવાબદારી હશે અને તેને કારણે જે 75 વર્ષની ગતિ હતી તેના કરતાં અનેક ગણા વેગ સાથે આપણે દેશને ઘણું બધું આપી શકીએ તેમ છીએ.

આદરણીય સભાપતિજી,

કોરોના એક વૈશ્વિક મહામારી છે અને છેલ્લા 100 વર્ષમાં માનવજાતિએ આવડુ મોટું સંકટ જોયું નથી. અને સંકટની તીવ્રતા જૂઓ, માતા બીમાર છે અને એક રૂમમાં છે પરંતુ પુત્ર એ રૂમમાં પ્રવેશ કરી શક્યો નહીં. સમગ્ર માનવજાત માટે કેટલુ મોટું સંકટ હતું. અને હજી પણ આ સંકટ બહુરૂપીની માફક નવા નવા રૂપરંગ લઈને ક્યાંકને ક્યાંક કાંઇકને કાંઇક આફત લઈને આવે છે. અને સમગ્ર દેશ, સમગ્ર દુનિયા, સમગ્ર માનવજાતિ તેની સામે ઝઝૂમી રહી છે. દરેક વ્યક્તિ ઉકેલ શોધી રહી છે. આજે 130 કરોડના ભારત માટે દુનિયામાં જ્યારે પ્રારંભિક કોરોનાની શરૂઆત થઈ ત્યારે ચર્ચા એ થતી હતી કે ભારતનું શું થશે? અને ભારતને કારણે દુનિયાની કેટલી બરબાદી થશે, આ જ દિશામાં ચર્ચા થઈ રહી હતી. પરંતુ  આ 130 કરોડ દેશવાસીઓની સંકલ્પ શક્તિઓનું સામર્થ્ય હવે તેમણે જીવનમાં જે કાંઈ ઉપલબ્ધ હતું તેની વચ્ચે શિસ્તનો પ્રારંભ કરવાનો પ્રયાસ કર્યો કે આજે વિશ્વમાં ભારતના પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે અને તેનું ગૌરવ, આ કોઈ રાજકીય પક્ષનો કાળખંડ ન હતો. આ સિદ્ધિ દેશની છે. 130 કરોડ દેશવાસીઓની છે. સારી વાત હોત કે તેનો યશ લેવાનો પણ તમે પ્રયાસ કર્યો હોત કે તમારા ખાતામાં પણ કાંઈક જમા થયું હોત. પરંતુ હવે આ પણ શીખવવું પડે. ખેર, વેક્સિનેશનના સંબંધે પણ હમણાં જ પ્રશ્નકાળમાં આપણા આદરણીય મંત્રીજીએ વિસ્તારપૂર્વક વાત કરી કે જે રીતે ભારત વેક્સિનેશન બનાવવામાં ઇનોવેશનમાં, રિસર્ચમાં અને તેના અમલીકરણમાં આજે દુનિયામાં વેક્સિનની વિરુદ્ધમાં મોટા આંદોલન ચાલી રહ્યા છે. પરંતુ વેક્સિનથી મારો લાભ થાય કે લાભ ન થાય પણ કમસે કમ વેક્સિન લગાવીશ તો મારે કારણે અન્ય કોઈનું નુકસાન થશે નહીં, આ એક ભાવનાએ 130 કરોડ દેશવાસીઓને વેક્સિન માટે પ્રેરિત કર્યા છે. આ ભારતના મૂળભૂત ચિંતનનું પ્રતિબિંબ છે. જે વિશ્વ સમક્ષ રાખવું દરેક હિન્દુસ્તાનીઓનું કર્તવ્ય છે. માત્ર પોતાની સુરક્ષા કરવાનો વિષય હોત તો લેવી કે ના લેવીનો વિવાદ થતો. પરંતુ જ્યારે તેના મનમાં વિચાર આવ્યો કે મારે કારણે અન્ય કોઈને કષ્ટ પહોંચે નહીં અને જો તેના માટે મારે જ ડોઝ લેવાનો છે તો હું લઈ લઉં અને તેણે ડોઝ લઈ લીધો. આ ભારતના મનની, ભારતના માનવના મનની, ભારતની માનવતાની વાત આપણે ગૌરવપૂર્ણ રીતે સમગ્ર દુનિયા સમક્ષ રાખી શકીએ છીએ. આજે સો ટકા રસીકરણના લક્ષ્યાંક તરફ આપણે ઝડપથી આગળ ધપી રહ્યા છીએ. હું માનનીય સદસ્યને અથવા તો તમામ આદરણીય સદસ્યોને, તેમની સમક્ષ આપણા ફ્રન્ટલાઇન કાર્યકરો, આપણા આરોગ્ય કર્મચારીઓ, આપણા વૈજ્ઞાનિક તેમણે જે કાંઈ કાર્ય કર્યું તેમની પ્રશંસા કરવાથી ભારતની પ્રતિભા ખીલી ઉઠશે જ. પરંતુ સાથે સાથે આ રીતે જીવન હોમી દેનારા લોકોનો જુસ્સો બુલંદ બનશે અને તેથી જ આ ગૃહ ઘણા ગૌરવ સાથે તેમનું અભિવાદન કરે છે અને તેમનો આભાર માને છે.

આદરણીય સભાપતિજી,

આ કોરોના કાળમાં 80 કરોડથી પણ વધુ દેશવાસીઓને આટલા લાંબા સમય સુધી મફત રાશન (અનાજ)ની વ્યવસ્થા, તેમના ઘરનો ચૂલો કયારેય ન સળગે, તેવી સ્થિતિ પેદા ન થાય, એવું કામ ભારતે કરીને દુનિયા સમક્ષ ઉદાહરણ રજૂ કર્યું છે. આ જ કોરોના કાળમાં જયારે અનેક મુશ્કેલીઓ હતી, પ્રતિબંધ હતા, તેમ છતાં પણ પ્રગતિમાં અવરોધની વારંવાર અવરોધોની વચ્ચે પણ લાખો પરિવારોને, ગરીબોને, પાક્કા ઘર આપવાના અમારા વચનની દિશામાં અમે સતત ચાલતાં (પ્રયાસ કરતાં) રહ્યાં અને આજે ગરીબના ઘર ખર્ચ પણ લાખોમાં થાય છે. જેટલા કરોડ પરિવારોને આ ઘર મળ્યું છે ને, દરેક ગરીબને પરિવાર પણ આજે લાખોપતિ કહી શકાય તેમ છે.

આદરણીય સભાપતિજી,

આજ કોરોના કાળમાં પાંચ કરોડ ગ્રામીણ પરિવારને નળથી જળ સુધી પહોંચાડવાનું કામ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ જ કોરોના કાળમાં જયારે પ્રથમ લોકડાઉન આવ્યું ત્યારે પણ બહુ જ સમજદારીની સાથે, કેટલાય સાથે ચર્ચાઓ કર્યા પછી થોડા સાહસની પણ જરૂર હતી કે, ગામડાંઓમાં ખેડૂતોને લોકડાઉનથી મુક્ત રાખવા જોઇએ, નિર્ણય બહુ જ મહત્વપૂર્ણ હતો પણ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે આપણાં ખેડૂતોએ કોરોનાના આ કાળખંડમાં બમ્પર ઉપજ કરી અને એમએસપીમાં પણ રેકોર્ડ ખરીદી કરીને નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો. આ જ કોરોના કાળમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલા કેટલાક પ્રોજેક્ટ પૂરા કર્યા કારણ કે આપણે જાણીએ છીએ કે આ સંકટના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે રોકાણ થાય છે તે રોજગારીની તકોને સુનિશ્ચિત કરે છે. અને એટલા માટે અમે તેના પર પણ જોર આપ્યું કે રોજગાર (કામ-ધંધો) પણ મળતો રહે અને તમામ પ્રોજેક્ટ અમે પૂરા પણ કરી શકીએ. મુશ્કેલીઓ હતી પરંતુ તેને પૂરી કરી શકયા. આ જ કોરોના કાળમાં પછી ભલે જમ્મુ-કાશ્મીર હોય, કે નોર્થ-ઇસ્ટ હોય, દરેક કાળખંડમાં વિસ્તારથી આ વિકાસયાત્રાને આગળ વધારી અને અમે તેને ચલાવી છે. આ જ કોરોના કાળમાં આપણાં દેશના યુવાનોએ ખેલજગતમાં દરેક ક્ષેત્રમાં હિન્દુસ્તાનનો તિરંગો, અમારો ધ્વજ લહેરાવવાનું બહુ મોટું કામ કર્યું, દેશને ગૌરવ આપાવ્યું. આજે આખો દેશ આપણાં યુવાનોએ ખેલજગત રમત-ગમતમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે અને કોરોનાના આ તમામ બંધનો વચ્ચે તેઓએ પોતાની તપસ્યાને ઓછી થવા દીધી નથી. તેમની સાધનાને ઓછી થવા દીધી નથી અને દેશનું ગૌરવ વધાર્યું છે.

આદરણીય સભાપતિજી,

આ જ કોરોના કાળમાં આજે જયારે દેશના યુવા-સ્ટાર્ટઅપ એટલે કે ભારતના યુવાનો એક ઓળખ બની ગયા છે, એક સમાનાર્થી થઇ ગયા છે. આજે આપણાં દેશના યુવાનો સ્ટાર્ટ અપના કારણે, સ્ટાર્ટ અપની દુનિયામાં શ્રેષ્ઠ ત્રણમાં હિન્દુસ્તાનને જગ્યા અપાવી છે.

આદરણીય સભાપતિજી,

આ જ કોરોના કાળમાં ભલે COP26 નો મામલો હોય, ભલે G20 સમૂહના ક્ષેત્ર હોય ભલે સમાજ જીવનની અંદર અનેક અનેક વિષયોમાં કામ કરવાનું હોય, ભલે દુનિયાના 150 દેશોને દવાઓ પહોંચાડવાની વાત હોય, ભારતે એક લીડરશીપ રોલ લીધો છે. આજે ભારતની આજ લીડરશીપની દુનિયામાં ચર્ચા છે.

આદરણીય સભાપતિજી