પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હોલોગ્રામ પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 23 JAN 2022 10:36PM by PIB Ahmedabad

ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સાથી શ્રી અમિત શાહ, શ્રી હરદિપ પુરી જી, મંત્રીમંડળના અન્ય સદસ્ય, આઇએનએના તમામ ટ્રસ્ટી, જ્યુરીના સદસ્ય, એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડ અને આઇએમડીના ડાયરેક્ટર જનરલ, આપદા પ્રબંધન પુરસ્કારોના તમામ વિજેતા સાથી, અન્ય તમામ મહાનુભાવો તથા ભાઈઓ અને બહેનો,
ભારતના માતાના વીર સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી અવસરે સમગ્ર  દેશ વતી હું આજે કોટિ કોટિ પ્રણામ કરું છું. દિવસ ઐતિહાસિક છે અને સમયગાળો, કાળખંડ પણ ઐતિહાસિક છે. અને સ્થળ જ્યાં આપણે સૌ એકત્રિત થયા છીએ તે પણ ઐતિહાસિક છેભારતની લોકશાહીનું પ્રતિક આપણી સંસદ પણ નજીકમાં છે, આપણી ક્રિયાશીલતા અને લોકનિષ્ઠાના પ્રતિક અનેક ભવન પણ આપણી સાથે નજીકમાં નજરે પડે છે. આપણા વીર શહીદોને સમર્પિત નેશનલ  વોર મેમોરિયલ પણ નજીકમાં છે. તમામની છત્રછાયામાં આજે આપણે ઇન્ડિયા ગેટ ખાતે અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ અને નેતાજી સુભાષચંદ્ર બોઝને આદરપૂર્વત શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છીએ. નેતાજી સુભાષ જેમણે આપણને સ્વાધીન અને સંપ્રભુ ભારતનો ભરોસો અપાવ્યો હતો. જેમણે અત્યંત ગર્વ સાથે, ઉંચા આત્મવિશ્વાસ સાથે, એકદમ સાહસ સાથે અંગ્રેજી સત્તાની સામે કહ્યું હતું કે હું સ્વતંત્રતાની ભીખ નહીં લઉં, હું સ્વતત્રતા હાંસલ કરીશ. જેમણે ભારતની ધરતી પર પહેલી આઝાદ સરકારની સ્થાપના કરી હતી. આપણા નેતાજીની ભવ્ય પ્રતિમા આજે ડિજિટલ સ્વરૂપમાં ઇન્ડિયા ગેટની નજીકમાં સ્થાપિત થઈ  રહી છે. ટૂંક સમયમાં હોલોગ્રામ પ્રતિમાને સ્થાને ગ્રેનાઇટની વિશાળ પ્રતિમા પણ સ્થપાશે. પ્રતિમા આઝાદીના મહાનાયક પ્રત્યે કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ છે. નેતાજી સુભાષની પ્રતિમા લોકતાંત્રિક સંસ્થાઓને, આપણી પેઢીઓને રાષ્ટ્રીય કર્તવ્યનો બોધ આપશે, આવનારી પેઢીઓને અને વર્તમાન પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે.

સાથીઓ,
ગયા વર્ષથી દેશે નેતાજીની જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું શરૂ  કર્યું છે. આજે પરાક્રમ દિવસના અવસરે સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર પણ એનાયત કરાયા છે. નેતાજીના જીવનમાંથી પ્રેરણા લઈને પુરસ્કારો એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2019થી 2022 સુધી, સમયના તમામ વિજેતાઓ, તમામ વ્યક્તિઓ, તમામ સંસ્થાઓને આજે સન્માનનો અવસર સાંપડ્યો છે. હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,
આપણા દેશમાં આપદા પ્રબંધનને લઈને જે પ્રકારનું વલણ રહ્યું છે તેના ઉપર એક કહેવત એકદમ સચોટ બેસે છેજ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવો. અને  હું જે કાશી ક્ષેત્રમાંથી આવું છું ત્યાં તો અન્ય એક કહેવત પણ છે. તેઓ કહે છે કે ભોજ ઘડી કોહડા રોપે. એટલે કે જ્યારે ભોજનનો સમય થઈ ગયો ત્યારે કોહડાનું શાક ગાડવા લાગ્યા. એટલે કે જ્યારે આપત્તિ માથે આવી જાય ત્યારે તેમાંથી બચવાના ઉપાયો શોધવામાં આવે છે. આટલું નહીં પણ નવાઈ પમાડનારી અન્ય એક વ્યવસ્થા પણ હતી જેના વિશે ઘણા ઓછા લોકોને માહિતી હશે. આપણા દેશમાં ઘણા વર્ષોથી આપત્તિ, આપદાનો વિષય કૃષિ વિભાગ પાસે રહ્યો હતો. તેનું મૂળ કારણ હતું કે અતિવૃષ્ટિ, ઓલા પડવા જેવી પરિસ્થિતિ પેદા થતી હતી. તેનો સામનો કરવાની જવાબદારી, તેને લગતી બાબતો કૃષિ મંત્રાલય હેઠળ આવતી હતી. દેશમાં આપદા પ્રબંધન આવી રીતે ચાલતું હતું. પરંતુ 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યા બાદ જે કાંઈ બન્યું તેણે દેશને નવેસરથી વિચારવા માટે મજબૂર કરી દીધો. હવે તેણે આપદા પ્રબંધનનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. અમે તમામ વિભાગો અને મંત્રાલયોને રાહત અને બચાવની કામગીરીમાં સાંકળી દીધા. વખતના જે અનુભવો હતા તેમાથી શીખીને 2003માં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની રચના કરવામાં આવી. આપત્તિનો સામનો કરવા માટે રીતે કાયદો બનાવનારું ગુજરાત એક પ્રકારે દેશનું પ્રથમ રાજ્ય બન્યું. ત્યાર બાદ કેન્દ્ર સરકારે ગુજરાતના કાનૂનમાંથી સબક લઈને 2005માં સમગ્ર દેશમાં આવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવ્યો. કાનૂન બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચનાનો માર્ગ મોકળો બન્યો. કાનુને કોરોના સામેની લડતમાં પણ દેશની ખૂબ મદદ કરી.

સાથીઓ,
ડિઝાસ્ટર મેનેજમેન્ટને અસરકારક બનાવવા માટે 2014 પછી અમારી સરકારે રાષ્ટ્રીય સ્તર પર ચારે તરફ કાર્ય કર્યુ છે. અમે રાહત, બચાવ અને પુનર્વસન પર ભાર આપવાની સાથે સાથે સુધારણા પર પણ ભાર મૂક્યો હતો. અમે એનડીઆરએફને મજબૂત કર્યું, તેનું આધુનિકીકરણ કર્યું અને દેશભરમાં તેનો વ્યાપ વધાર્યો. સ્પેસ ટેકનોલોજીથી લઈને પ્લાનિંગ અને મેનેજમેન્ટ સુધી શક્ય તેટલી સર્વશ્રેષ્ઠ કાર્યશૈલી અપનાવી. અમારા એનડીઆરએફના સાથી, તમામ રાજ્યોના એસડીઆરએફ અને સુરક્ષા દળોના જવાનો પોતાના જીવની બાજી લગાવીને એક એક જીવન બચાવે છે. આથી આજે પળે પ્રકારની જીવની બાજી લગાવનારા, અન્યના જીવન બચાવવા માટે ખુદનો જીવ જોખમમાં મૂકનારાઓ પછી તે એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, આપણા સુરક્ષા દળોના સાથીઓ હોય, તમામે તમામ પ્રત્યે આજે આભાર પ્રગટ કરવાનો, તેમને સલામ કરવાનો આજે સમય છે.


સાથીઓ.
જો આપણે આપણી વ્યવસ્થાઓને મજબૂત કરીને ચાલીએ તો આપત્તિનો સામનો કરવાની ક્ષમતા દિવસે દિવસે વધતી જાય છે. હું કોરોનાકાળના એક બે વર્ષની વાત કરું તો મહામારી વચ્ચે દેશ સામે નવી આપત્તિઓ આવીને ઉભી રહી ગઈ. એક તરફ કોરોના સામે તો લડત આપી રહ્યા હતા. એવામાં અનેક સ્થળે ભૂકંપ આવ્યા, ઘણા સ્થળે પૂર આવ્યા, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત પૂર્વીય ક્ષેત્રોમાં વાવાઝોડું આવ્યું, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ કાંઠે પણ વાવાઝોડું આવ્યું, અગાઉ એક એક વાવાઝોડામાં સેંકડો લોકોના મોત થતા હતા પરંતુ વખતે આમ બન્યું નહીં. દેશે દરેક પડકારનો જવાબ એક નવી તાકાત સાથે આપ્યો, કારણસર આપત્તિમાં આપણે વધુમાં વધુ જીવન બચાવવામાં સક્ષમ રહ્યા. આજે મોટી મોટી આંતરરાષ્ટ્રીય એજન્સી, ભારતના સામર્થ્ય, ભારતમાં આવેલા પરિવર્તનની પ્રશંસા કરી રહી છે. આજે દેશમા એક એવી end-to-end cyclone response system છે જેમાં કેન્દ્ર, રાજ્ય, સ્થાનિક પ્રશાંસન અને તમામ એજન્સી એક સાથે મળીને કાર્ય કરી રહી છે. પૂર, દુકાળ, વાવાઝોડું તમામ આપત્તિ માટે ચેતવણી સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. ડિઝાસ્ટર રિસ્ક એનાલિસિસ માટે એડવાન્સ ટુલ્સ બનાવવામાં આવ્યા છે. રાજ્યોની મદદથી અલગ અલગ ક્ષેત્રો માટે ડિઝાસ્ટર રિસ્ક મેપ બનાવવામાં આવ્યા છે. તેનો લાભ તમામ રાજ્યોને, તમામ હિસ્સેદારોને મળી રહ્યો છે. અને સૌથી મહત્વની બાબત છે કે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટઆપદા પ્રબંધન આજે દેશમાં જનભાગીદારી અને જન વિશ્વાસનો વિષય બની ગયો છે. મને કહેવામાં આવ્યું છે કે એનડીએમએન  આપદા મિત્ર સ્કીમ મારફતે યુવાનો આગળ આવી રહ્યા છે. આપદા મિત્રના રૂપમાં જવાબદારીઓ ઉઠાવી રહ્યા છેએટલે કે જન ભાગીદારી વધી રહી છે. ક્યાંય કોઈ આફત આવે છે તો લોકો તેનો ભોગ બનતા નથી પણ તેઓ સ્વયંસેવક બનીને આપત્તિનો સામનો કરે છે. એટલે કે આપદા પ્રબંધન હવે એક સરકારી કામ માત્ર રહ્યું નથી પરંતુ તે સૌના પ્રયાસનું એક મોડલ બની ગયું છે.

સાથીઓ,
જ્યારે હું સૌના પ્રયાસની વાત કરું છું તો તેમાં તમામ ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયાસ, એક ધાર્મિક અભિગમ પણ સામેલ છે. આપત્તિ પ્રબંધનને પ્રાથમિકતા આપતા અમે આપણી શિક્ષણની સિસ્ટમમાં પણ ઘણા પરિવર્તન કર્યા છે. જે સિવિલ એન્જિનિયરિંગના કોર્સ હોય છે, આર્કિટેક્ચર સાથે સંકળાયેલા કોર્સ હોય છે, તેના પાઠ્યક્રમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને સામેલ કર્યું, માળખાની રચના કેવી હોય તેની ઉપર વિષયોને સાંકળવા, તમામ કામો પ્રયાસરત છે. સરકારે ડેમોની નિષ્ફળતાની સ્થિતિનો સામનો કરવા માટે ડેમ સેફ્ટી કાનૂનની પણ રચના કરી.

સાથીઓ,
દુનિયામાં જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે ત્યારે તેમાં લોકોના મોત થયાની ચર્ચા થાય છે કે આટલા લોકોના મોત થયા કે આમ બન્યું, આટલા લોકોનું સ્થળાંતર કરાયું, આર્થિક નુકસાન પણ ઘણું થતું હોય છેતેની પણ ચર્ચા થતી રહેતી હોય છે. પરંતુ આપત્તિમાં ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચરનું નુકસાન થતું હોય છે  તે કલ્પના બહાર હોય છે. તેથી અત્યંત જરૂરી છે કે આજના સમયમાં ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચરનું નિર્માણ એવું હોવું જોઇએ જે હોનારતો સામે ટકી શકે. તેનો સામનો કરી શકે. ભારત આજે દિશામાં પણ ઝડપથી કામ કરી રહ્યું છે. જે ક્ષેત્રમાં ભૂકંપ, પૂર અને વાવાઝોડાનું જોખમ વધારે રહે છે ત્યાં પીએમ આવાસ યોજના હેઠળ બનતા મકાનોમાં પણ બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડમાં ચાર ધામ મહા પરિયોજનાનું કામ ચાલી રહ્યું છે તેમાં પણ આપદા પ્રબંધનનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં જે નવા એક્સપ્રેસ વે બની રહ્યા છે તેમાં પણ આપદા પ્રબંધન સાથે સંકળાયેલી નાની નાની બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. કટોકટીની પરિસ્થિતિમાં એક્સપ્રેસ વે વિમાન ઉતારવામાં કામમાં આવી શકે તેની જોગવાઈ કરવામાં આવી છે. તો નવા ભારતનું વિઝન છે, નવા ભારતની વિચારવાની સ્ટાઇલ છે.
સાથીઓ,
Disaster Resilient Infrastructure ના વિચારના સાથે ભારતે દુનિયાને પણ એક મોટી સંસ્થાનો વિચાર આપ્યો છે. ભેટ આપી છે. સંસ્થા છે સીડીઆરઆઇ - Coalition for Disaster Resilient Infrastructure. ભારતની પહેલમાં બ્રિટન આપણું મુખ્ય સાથી બન્યું છે. અને આજે દુનિયાના 35 દેશ તેમાં જોડાઈ ચૂક્યા છે. દુનિયાના અલગ અલગ દેશોની વચ્ચે, લશ્કરની વચ્ચે આપણે જોઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ તો ઘણી જોઇ છે. પુરાણી પરંપરા છે તેની ચર્ચા પણ થાય છે. પણ ભારતે પહેલી વાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જોઇન્ટ ડ્રિલની પરંપરા શરૂ કરી છે. ઘણા દેશોમાં મુશ્કેલીના સમયમાં આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી એજન્સીઓએ પોતાની સેવા આપી છે, માનવતા પ્રત્યેના પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે. જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો, આવડી મોટી તારાજી થઈ તો ભારતે એક મિત્ર દેશના રૂપમાં દુઃખને વહેંચવામાં જરાય પાછી પાની કરી નહીં. જરાય વિલંબ કર્યો નહીં. આપણા એનડીઆરએફના જવાનો તરત ત્યાં પહોંચી ગયા. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ભારતનો અનુભવ માત્ર આપણા માટે નહીં પણ સમગ્ર માનવતા માટે આમ સૌને યાદ હશે, 2017માં ભારતે સાઉથ એશિયા જિયો સ્ટેશનરી કમ્યુનિકેશન સેટેલાઇટ લોંચ કર્યો. હવામાન અને કમ્યુનિકેશનના ક્ષેત્રમાં તેનો લાભ આપણા દક્ષિણ એશિયાના મિત્ર દેશોને મળી રહ્યો છે.

સાથીઓ,
પરિસ્થિતિ ગમે તેવી હોય પણ  જો આપણામાં જુસ્સો હોય તો આપત્તિને પણ આપણે અવસરમાં ફેરવી શકીએ છીએ. સંદેશ નેતાજીએ આપણને આઝાદીની લડત વખતે આપ્યો હતો. નેતાજી કહેતા હતા કે ક્યારેય પણ સ્વતંત્ર ભારતના સપનાનો વિશ્વાસ ગુમાવશો નહીં. દુનિયાની કોઈ શક્તિ નથી જે ભારતને હલાવી શકે. આજે આપણી સામે આઝાદ ભારતના સપનાઓ પૂરા કરવાનો લક્ષ્યાંક છે. આપણી સામે આઝાદીના એકસોમા વર્ષ અગાઉ 2047 અગાઉ નવા ભારતનો લક્ષ્યાંક છે. અને નેતાજીને દેશ ઉપર જે ભરોસો હતો, જે ભાવ નેતાજીના દિલમાં ઉભરતા હતા. અને તેમના ભાવને કારણે હું કહી શકું છું કે દુનિયાની કોઈ તાકાત નથી જે ભારતને લક્ષ્યાંક સુધી પહોંચતા રોકી શકે. આપણી સફળતા આપણી સંકલ્પ શક્તિનો પુરાવો છે. પણ યાત્રા હજી લાંબી છે, આપણે હજી ઘણા શિખર સર કરવાના છે. તેના માટે જરૂરી છે આપણે દેશના ઇતિહાસના, હજારો વર્ષોની યાત્રામાં તેને આકાર આપનારા તપ, ત્યાગ અને બલિદાનોમાંથી બોધ મેળવવાનો છે.


ભાઈઓ અને બહેનો,
આઝાદીના અમૃત મહોત્સવનો સંકલ્પ છે કે ભારત પોતાની ઓળખ અને પ્રેરણાઓને પુનર્જિવિત કરશે. કમનસીબી રહી છે કે આઝાદી બાદ દેશની સંસ્કૃતિ અને સંસ્કારોની સાથે સાથે અનેક મહાન વ્યક્તિઓના યોગદાનને મિટાવવાનું કામ કરવામાં આવ્યું. સ્વાધીનતા સંગ્રામમાં લાખો લાકો દેશવાસીઓની તપસ્યા સામેલ હતી પંરંતુ તેના ઇતિહાસને પણ સિમિત કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આજે આઝાદીના દાયકાઓ બાદ દેશ ભૂલોને સુધારી રહ્યો છે. તમે જૂઓ બાબા સાહેબ આંબેડકર સાથે સંકળાયેલી પંચતીર્થોને દેશ તેની ગરિમાને અનુરૂપ વિકસિત કરી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર દુનિયામાં સરદાર વલ્લભભાઈ પટેલના યશગાનનું તીર્થ બની ગયું છે. ભગવાન બિરસા મુન્ડાની જયંતીને જનજાતિય ગૌરવ દિવસના રૂપમાં મનાવવાની શરૂઆત પણ આપણે  સૌ કરી દીધી છે. આદિવાસી સમાજના યોગદાન અને ઇતિહાસને સામે લાવવા માટે અલગ અલગ રાજ્યોમાં આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે. અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન સાથે સંકળાયેલા તમામ વારસાને પણ દેશ સંપૂર્ણ ગૌરવ સાથે સાંકળી રહ્યો છે. નેતાજી દ્વારા આંદામાનમાં તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આંદામાનમાં એક ટાપુનુ નામ તેમના નામ પર રાખવામાં આવ્યું છે. હજી હમણા ડિસેમ્બરમાં આંદામાનમાં એક વિશેષ સંકલ્પ સ્મારક નેતાજી સુભાષ ચદ્ર બોઝને સમર્પિત કરવામાં આવ્યું છે. સ્મારક નેતાજીને સાથે સાથે ઇન્ડિયન નેશનલ આર્મીના જવાનો માટે પણ શ્રદ્ધાંજલિ છે જેમણે આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું હતું. મારું સૌભાગ્ય છે કે ગયા વર્ષે આજના દિવસે મને કોલકાતામાં નેતાજીના પૈતૃક નિવાસે જવાની તક મળી હતી. જે રીતે તેઓ કોલકાતાથી નીકળ્યા હતા, જે કમરામાં બેસીને તેઓ અભ્યાસ કરતા હતા, તેમના ઘરની સીડીઓ, તેમના ઘરની દિવાલો, તેના દર્શન કરવા તે અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

સાથીઓ,
હું 2018ની 21મી ઓક્ટોબરનો દિવસ ભૂલી શકું નહીં જ્યારે આઝાદ હિન્દ સરકારના 75 વર્ષ પૂર્ણ થયા હતા. લાલ કિલ્લા પર યોજાયેલા વિશેષ સમારંભમાં મેં આઝાદ હિન્દ ફોજની કપ પહેરીને તિરંગો લહેરાવ્યો હતો. પણ અદભૂત છે, પણ અવિસ્મરણીય છે. મને આનંદ છે કે લાલ કિલ્લામાં આઝાદ હિન્દ ફોજ સાથે સંકળાયેલા એક સ્મારક પર પણ કાર્ય થઈ રહ્યું છે. 2019માં, 26મી જાન્યુઆરીની પરેડમાં આઝાદ હિન્દ ફોજના પૂર્વ સૈનિકોને જોઇને મન જેટલું પ્રફુલ્લિત થયું તે મારી અણમોલ સ્મૃતિ છે. અને તેને પણ હું મારું સૌભાગ્ય માનું છું કે અમારી સરકારને નેતાજી સાથે સંકળાયેલી ફાઇલો સાર્વજનિક કરવાની તક મળી છે.


સાથીઓ,
નેતાજી સુભાષ કોઈ વાત નક્કી કરી લે તો તેમને કોઈ તાકાત રોકી શકતી હતી. આપણે નેતાજીની  “કરી શકીએ છીએ, કરીશુંની ભાવનામાંથી પ્રેરણા લઈને આગળ વધવાનું છે. તેઓ જાણતા હતા તેથી વાત હંમેશાં કરતા હતા કે ભારતે રાષ્ટ્રવાદની એવી સર્જનાત્મક શક્તિનો સંચાર કર્યો છે જે સદીઓથી લોકી અંદર સૂતેલી પડી હતી. આપણે રાષ્ટ્રવાને જીવંત રાખવાનો છે. આપણે સર્જન પણ કરવાનું છે અને રાષ્ટ્ર ચેતનાને પણ જાગૃત રાખવાની છે. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને ભારતને નેતાજી સુભાષનું ભારત બનાવવામાં સફળ રહીશું. આપ સૌને ફરી એક વાર પરાક્રમ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને હું આજે એનડીઆરએફ, એસડીઆરએફના લોકોને પણ વિશેષરૂપથી અભિનંદન પાઠવું છું કેમ કે ઘણા ઓછા સમયગાળામાં તેમણે પોતાની ઓળખ બનાવી છે. આજે ગમે તે સ્થાને આફત હોય કે આફત અંગેની સંભાવનાના અહેવાલ હોય, જેમ કે વાવાઝોડું...અને જ્યારે એનડીઆરએફના જવાનો તેમના યુનિફોર્મમાં જોવા મળે છે તો સામાન્ય માનવીને એક ભરોસો બેસી જાય છે કે હવે મદદ પહોંચી ગઈ છે.   આટલા ટૂંકા ગાળામાં કોઈ સંસ્થા કે તેના યુનિફોર્મની ઓળખ બની જવી એટલે કે આપણા દેશમાં કોઈ તકલીફ હોય અને લશ્કરના જવાન આવી જાય તો સામાન્ય નાગરિકને સંતોષ થઈ જાય છે કે ભાઈ હવે લોકો આવી ગયા છે. આવું આજે એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોએ પોતાના પરાક્રમ દ્વારા આમ કરી દેખાડ્યું છે. હું પરાક્રમ દિવસના અવસરે નેતાજીનું સ્મરણ કરીને, હું એનડીઆરએફના જવાનોને, એસડીઆએફના જવાનોને તેમણે જે કાર્યને જે કરુણા સાથે ઉપાડ્યું છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમનું અભિવાદન કરું છું. હું જાણું છું કે આપદા પ્રબંધનના કાર્યમાં, ક્ષેત્રમાં કાર્ય કરનારા ઘણા લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે. હું આજે એવા જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે કોઇનું જીવન બચાવવા માટે પોતાનું જીવન દાવ પર લગાવી દીધું હતું. એવા તમામને હું આદરપૂર્વક નમન કરીને આપ સૌને આજે પરાક્રમ દિવસને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1792099) Visitor Counter : 270