પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જાણીતા પુરાતત્વવિદ્ થિરુ આર. નાગસ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 23 JAN 2022 8:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા પુરાતત્વવિદ્ થિરુ આર. નાગસ્વામીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ તમિલનાડુની જીવંત સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે તેમના યોગદાનને યાદ કર્યું.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

"આવનારી પેઢીઓ તમિલનાડુની જીવંત સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે થિરુ આર. નાગસ્વામીના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. ઇતિહાસ, પુરાલેખન અને પુરાતત્વ પ્રત્યેનો તેમનો જુસ્સો નોંધનીય હતો. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(रिलीज़ आईडी: 1792036) आगंतुक पटल : 259